નીતિન પટેલ અને નારણ કાછડિયા નો વિવાદ વધ્યો,વિજય રૂપાણી અને પરેશ ધાનાણી પણ વિવાદમાં ઉતર્યા

Published on: 2:33 pm, Thu, 23 September 21

છેલ્લા બે દિવસથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યો હતો. નીતિન પટેલ ના મંથરા અને વિભીષણ વાળા નિવેદન પર ભાજપના નેતા અને સાંસદ નારણભાઇ કાછડીયાએ નિશાન તાકતા કહ્યું કે ગાંધીનગરમાં અમે આવીએ ત્યારે તો સામે પણ નહોતા જોતા, કામ કરવાની વાત તો પછી રહી.

સમગ્ર વિવાદ મામલે જોર પકડતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સંગઠનમાં આપણે ત્યાં આવું ના હોય શકે, સામે પક્ષે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે કાછડીયા નું નિવેદન નીતિનભાઈ માટે પડ્યા પર પાટા સમાન છે.

નારણ કાછડીયા અને નીતિન પટેલ વચ્ચેના વિવાદનો મામલો પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી મહત્વનું નિવેદન આપ્યું છે. તેમના વિવાદ અંગે મત રજુ કરતા કહ્યું કે નારણ કાછડિયા અને નીતિન પટેલ વચ્ચેનો વિવાદ દુર્ભાગ્યપૂર્ણ છે.સંગઠનમાં આપણે ત્યાં આવું ન હોઈ શકે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી નારણ કાછડિયા ની પડખે ઊભા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નીતિન પટેલ અને નારણ કાછડિયા નો વિવાદ વધ્યો,વિજય રૂપાણી અને પરેશ ધાનાણી પણ વિવાદમાં ઉતર્યા"

Leave a comment

Your email address will not be published.


*