કોંગ્રેસના દિગ્ગજ આ નેતા મમતા બેનરજીની પાર્ટી TMC માં જોડાઈ શકે છે, જાણો વિગતો.

Published on: 9:06 pm, Mon, 12 July 21

કોરોનાની મહામારી વચ્ચે તમામ રાજકીય પક્ષો વચ્ચે હલચલ વધી છે. ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા શત્રુઘ્ન સિંહા મળતી માહિતી મુજબ મમતા બેનરજીની પાર્ટી TMC માં 21 જુલાઇના રોજ જોડાઈ શકે તેવી શક્યતાઓ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને શત્રુઘ્ન સિહા ના સંબંધ ખૂબ જ સારા રહ્યા છે.

હાલના સમયમાં તેમની વચ્ચે નિકટતા પણ ખૂબ જ વધી ગઈ છે. જોતા એવું લાગી રહ્યું છે કે શત્રુઘ્ન સિહાનું TMC માં સામેલ થવા માટે નકારી ન શકે. ભરતી માહિતી મુજબ શત્રુઘ્ન સિન્હા 21જુલાઇના રોજ TMCમાં સામેલ થઈ શકે છે.

મળતી માહિતી મુજબ મમતા બેનર્જી તેમને રાજ્ય સભાના સાંસદ બનાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હાલના હાલત જોઈએ તો TMC માં રાજ્યસભાની બેઠકો ખાલી છે.

એટલે જ શત્રુઘ્ન સિહા અને રાજ્યસભા ની ટિકિટ મળી શકે છે. શત્રુઘન સિંહા અટલબિહારી બાજપાઈ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ઉપરાંત બિહારની પટાણા સાહેબ બેઠક પરથી ભાજપના બે વાર સાંસદ રહ્યા છે.

પરંતુ 2019 માં ભાજપે ટિકિટ ના આપતા તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. અને કોંગ્રેસે તેમની બેઠક પર ટિકિટ આપી હતી. જે કે તેઓ ભાજપના રવિ પ્રસાદ ની સામે હારી ગયા હતા.

ઉપરાંત ભાજપના સિનિયર નેતા યશવંતસિંહાએ મમતા બેનરજીની TMC માં જોડાઈ ચુક્યા છે. આ ઉપરાંત હાલમાં ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓ થોડાક દિવસોથી TMC માં સામેલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોંગ્રેસના દિગ્ગજ આ નેતા મમતા બેનરજીની પાર્ટી TMC માં જોડાઈ શકે છે, જાણો વિગતો."

Leave a comment

Your email address will not be published.


*