મહારાષ્ટ્ર થી લોકડાઉન ને લઈને આવ્યા અત્યંત મહત્વના સમાચાર, જાણો વિગતે.

Published on: 3:06 pm, Thu, 13 May 21

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લાગૂ કરેલ પ્રતિબંધોને પહેલી જૂન સુધી લંબાવ્યા અને વાયરસ ના કેસ ના નેગેટિવ રિપોર્ટ વિના રાજ્યમાં એન્ટ્રી ન થાય. ગુજરાત સહિત આખા દેશ માં વાયરસ મહામારીનું કોહરામ મચાવી રહી છે.

દેશમાં સતત વધી રહેલા વાઇરસના કેસ વચ્ચે મોટાભાગના રાજ્યોમાં સરકાર દ્વારા લોકડાઉન કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશમાં રેકોર્ડ બ્રેક વાયરસના કારણે મોતની સંખ્યા સતત વધી રહી છે.

ત્યારે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં લાગૂ વાયરસના પ્રતિબંધોને ફરી લંબાવી દીધા છે. મહામારી ના ખતરાને જોતા મહારાષ્ટ્ર સરકારે આગામી 1લી જૂન સુધી આ પ્રતિબંધ લંબાવી દીધા છે.

સરકાર તરફથી આજે આ મુદ્દે આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે આટલું જ નહીં જુના કેટલાક નિયમોમાં નવા પ્રતિબંધો પણ ઉમેરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પ્રવેશ થવા માટે હવેથી RTPCR નેગેટિવ રિપોર્ટ હોવી અનિવાર્ય રહેશે.

પ્રવેશ પહેલાના 48 કલાકનો રિપોર્ટ જ માન્ય ગણવામાં આવશે અને હાલમાં મહારાષ્ટ્રમાં છે ઘણા પ્રતિબંધો છે તે બધા હવે પહેલી જૂન સુધી લાગુ રહેશે.

ભારત માર્ચ મહિનાની શરૂઆતથી જ કલર વાઇરસના કેસ વધી રહ્યા છે અને વાયરસ ની બીજી લહેર તબાહી મચાવી રહી છે. છેલ્લા ઘણા દિવસથી સાડા ત્રણ લાખથી ચાર લાખ સુધી ના વાયરસ ના કહેશો આવી રહ્યા છે.

ગઈકાલ ના વાયરસ ના નવા 3,62,727 કેસ નોંધાયા છે જ્યારે 3,52,181 ડીસચાર્જ થયા છે અને એક દિવસમાં 4120 દર્દીઓના મોત નિપજ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહારાષ્ટ્ર થી લોકડાઉન ને લઈને આવ્યા અત્યંત મહત્વના સમાચાર, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*