વલસાડના હોટલના માલિકે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, ત્રણ બાળકો વગરના થઈ ગયા – જાણો સમગ્ર ઘટના

Published on: 10:10 am, Sat, 23 April 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે વલસાડમાં એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર વલસાડ હાઇવે સ્થિત એક હોટલના માલિકે ગુરૂવારના રોજ રૂમમાં પંખા સાથે લટકી ગળેફાંસો ખાઇ લીધો હતો.

આ ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઇ હતી ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને નજીકના સંબંધીઓ નું કહેવું છે કે, કોરોના કાળની મંદી અને માથે દેવું વધી જતા હોટલના માલિકે આ પગલું ભર્યું છે.

મળતી માહિતી અનુસાર વલસાડના કૈલાસ રોડ ઉપર શેઠિયા નગર ખાતે સોમનાથ રેસિડેન્સીમાં રહેતા રાકેશભાઈ નામના વ્યક્તિને હાઇવે પર વંશ નામની હોટલ છે. મળતી માહિતી અનુસાર રાકેશભાઈ ગુરૂવારના રોજ સવારના સમયે ઘરેથી હોટેલ જવા માટે નીકળ્યા હતા. રાકેશભાઈ લગભગ પોણા નવ વાગ્યાની આસપાસ હોટલે પહોંચ્યા હતા.

ત્યારબાદ રાકેશભાઈ પોતાના કામકાજમાં વ્યસ્ત હતા. ત્યારબાદ તેઓ હોટલની પાછળ આવેલી એક રૂમમાં સુવા ગયા હતા. ત્યારે હોટલના કર્મચારી ઉત્તમભાઈ તેમને જગાડવા માટે રૂમનો દરવાજો ખખડાવે છે. પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી.

જ્યારે ઉત્તમભાઈ રૂમની બારીમાંથી જોવે છે ત્યારે રાકેશભાઈ પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. આ ઘટના બનતા જ હોટલના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન રાકેશભાઈના સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું કે, કોરોના કાળ દરમિયાન ધંધામાં આવેલી મંદી અને દેવું વધતાં રાકેશભાઈ માનસિક તણાવમાં આવીને આ પગલું ભર્યું હોય છે. રાકેશભાઈના મૃત્યુના કારણે બે દિકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વલસાડના હોટલના માલિકે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, ત્રણ બાળકો વગરના થઈ ગયા – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*