સાસુની વાતનું ખોટું લાગતા વહુએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, 4 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી…

Published on: 9:54 am, Sun, 21 November 21

વિજલપોરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વિજલપોરમાં રહેતી 24 વર્ષીય કવિતા નામની પરણિત યુવતીએ સાસુમાની વાતનું ખોટું લાગતા કવિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારના સભ્ય દોડતા થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતાં વિજલપોર પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર ચાર વર્ષ પહેલા કલરકામના વ્યવસાય કરતા ભૈયા ગોડસે નામના યુવકે કવિતા સાથે લગ્ન કર્યા હતા.

બંને એક ચાર વર્ષની દીકરી પણ છે. મળતી માહિતી મુજબ આ ઘટના બની ત્યારે કવિતા ગર્ભવતી હતી. મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા ઘરના કોઈ કામને લઈને સાસુમા અને કવિતા વચ્ચે માથાકુટ થઇ હતી.

જ્યારે કવિતા ઘરમાં એકલી હતી ત્યારે તેને ખાટલાના પટ્ટા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાની જાણ પડોશીને રહેતા પડોશીને તાત્કાલિક ઘટનાની જાણ વિજલપુર પોલીસ સ્ટેશનને કરી હતી.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર કવિતાના પરિવારજનોએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ કરી નથી. કવિતા ના મૃત્યુના કારણે તેની 4 વર્ષની દીકરીએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સાસુની વાતનું ખોટું લાગતા વહુએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, 4 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*