એક અપરણિત યુવતી અને પરિણીત યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર મામલો

Published on: 10:41 am, Fri, 3 December 21

બુધવારના રોજ હળવદ તાલુકામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના ડુંગરપુર આ ગામની વાડીમાં એક જ રૂમમાં યુવક અને યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર ડુંગરપુર આ ગામનો 27 વર્ષીય પરિણિત રઘુભાઈ રાણાભાઇ ઈન્દોરે પોતાની વાડીમાં તેમજ વાંકાનેર તાલુકાના વડગામ ની અપરિણીત યુવતી કાજલબેન નવઘણભાઈ વિઝુવાડિયા રઘુભાઈની વાડીમાં બુધવારે બપોરે રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

બંનેએ આ પગલું શા માટે ભર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યો નથી. આ ઘટનાની જાણ થતાં ગામના લોકો વાડીએ દોડી આવ્યા હતા ત્યાર બાદ આ સમગ્ર ઘટનાની જાણ હળવદ પોલીસને કરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ કર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર પોસ્ટમોર્ટમ થયા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના ચાર વર્ષ પહેલા લગ્ન થઈ ગયા હતા અને તેની ત્રણ વર્ષની છોકરી અને દોઢ વર્ષનો એક છોકરો હતો.

જ્યારે મૃત્યુ પામેલી યુવતી હજુ અપરણિત હતી. યુવતી વાંકાનેર તાલુકાના કારખાનામાં મજૂરી કામ કરતી હતી. પોલીસ જણાવી રહી છે કે યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણસર પોતાનું જીવન ટુંકાવ્યું હશે. પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક અપરણિત યુવતી અને પરિણીત યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર મામલો"

Leave a comment

Your email address will not be published.


*