કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ગુજરાતમાં આ 9 જિલ્લાઓમાં કર્યું ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન, જાણો.

Published on: 5:44 pm, Thu, 3 June 21

ગુજરાત રાજ્યના લોકો માટે સારા સમાચાર આજે ગુજરાતના નવ જિલ્લાઓમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ મળ્યો છે. આ તમામ ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન માં ગૃહમંત્રી અમિત આ એ વર્ચ્યુઅલ લોકપણ કરવામાં આવ્યું હતું. અને આ ઓક્સિજન પ્લાન્ટ ના લોકપણ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમીત શાહે સંબોધન કર્યું હતું.

અમિત શાહે કહ્યું કે ભારત દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ભયંકર છે. બીજી લહેર માં ઓક્સિજન વ્યવસ્થા ભારત માટે એક મોટો પડકાર હતો. બીજી લહેર માં ઓક્સિજન એ ખૂબ જરૂરી હતું. બીજી લહેર માં ઓક્સિજન ની માંગ દસ ગણી વધી હતી.

તે માટે ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા હતા. કુલ 162 ઓક્સિજન પ્લાન્ટ ને PM કેર ફંડમાંથી મંજૂરી આપવામાં આવી છે. અને આગામી દિવસોમાં દેશમાં 300 ઓક્સિજન પ્લાન્ટ નું કામ થશે.

ગુજરાતમાં સોલા, સિંગરવા, ભાણવડ, કપડવંજ, તિલકવાડા, સાગબારા આ તમામ વિસ્તારોમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મહેસાણા અને પોરબંદરમાં પણ ઓક્સિજન પ્લાન્ટ નો લોક પણ કરી દેવામાં આવ્યું છે. આ તમામ ઓક્સિજન પ્લાન્ટ ની સમતા 10,000 લીટરની છે.

આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ ૫૦ લાખના ખર્ચે કાર્યરત કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પૂજા વિધિ કરીને આ ઓક્સિજન પ્લાન્ટ ની અર્પણ કરવામાં આવ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ગુજરાતમાં આ 9 જિલ્લાઓમાં કર્યું ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન, જાણો."

Leave a comment

Your email address will not be published.


*