હિમાચલ પ્રદેશમાં આભ ફાટવાની સમગ્ર ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ એક્શન મોડમાં, જાણો શું આપ્યો આદેશ.

Published on: 5:39 pm, Mon, 12 July 21

દેશમાં વરસાદી માહોલમાં હિમાચલમાં આભ ફાટવાની આ વિશ્વાસનીય ઘટના સર્જાઇ હતી તેના કારણે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત અમિત શાહે હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર ને ફોન કર્યો હતો. આ તમામ જાણકારીઓ તે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને જણાવી હતી.

સાથે તેમને રાહત માટે NDRF ની ટીમ જલ્દીથી આવી રહી છે. તેવી માહિતીઓ આપી હતી. ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય સતત ત્યાંની તમામ આ પરિસ્થિતિનું મોનીટરીંગ કરી રહી છે. ઉપરાંત તેમને જણાવ્યું કે કેન્દ્ર તરફથી પૂરતી મદદ આપવામાં આવશે.

આ ઉપરાંત દેશના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આ ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ જેવા પહાડી વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઇ હતી.

ત્યારે હિમાચલ પ્રદેશના કાગડા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના સર્જાઇ હતી. અને તેના કારણે અવિશ્વસનીય દ્રશ્યો સર્જાયા હતા. પાણીના પ્રવાહમાં ગાડી રમકડાની જેમ તણાઇ રહી હતી.

ત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાના કારણે અત્યાર સુધીમાં 75 લોકો નું નિધન થઈ ગયું છે. ત્યારે આ સમગ્ર ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સંવેદના વ્યક્ત કરી છે. સાથે મૃત્યુ પામનાર લોકોને વળતર આપવાનું એલાન પણ કર્યું છે.

આ સમગ્ર જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી છે. PMNRF માંથી મૃત્યુ પામનારના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50 હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હિમાચલ પ્રદેશમાં આભ ફાટવાની સમગ્ર ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ એક્શન મોડમાં, જાણો શું આપ્યો આદેશ."

Leave a comment

Your email address will not be published.


*