દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીનો જબરદસ્ત માહોલ છે અને બીજી તરફ કોરોના સંક્રમણનો ભય દેશભરમાં પર્વતી રહ્યો છે. મુંબઈમાં સીઆર પીએફ ઓફીસ પર આવેલા ઈ-મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના જીવન પર ખતરો હોવાની ધમકી આપવામાં આવી છે.
અને એવો ને ખતમ કરી નાખવાની ચેતવણી આપી છે. સાથોસાથ દેશમાં સાર્વજનિક સ્થળો, વિમાની મથકો તથા મંદિરોની ઉડાવી દેવાની પણ ધમકી આપવામાં આવી છે.
આ ઈ-મેલમાં જણાવાયું હતું કે દેશના લશ્કરે તોયબાને ત્રાસવાદીઓ છુપાયા છે. દેશમાં ત્રણ સ્થળોએ 200 કિલો હાઇ ગ્રેડ આરડીએક્સ પહોંચી ગયું છે.
અને 11 જેટલા આત્મઘાતી ત્રાસવાદીઓ તથા તેનું નેટવર્ક હુમલા કરવા માટે તૈયાર છે. ઈ-મેલમાં જણાવ્યું કે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના જીવન પર ખતરો છે. પત્રમાં જણાવાયું છે.
કે અમે એક આર્મી છીએ જે કદી માફ કરતા નથી કે ભૂલતા નથી.ધમકીભર્યા પત્ર બાદ એનઆઈએ સહિતની એજન્સીઓ એલર્ટ કરી દેવામાં આવી છે. હજુ ગયા વર્ષે આ કચેરીમાં એક કોલ પાકિસ્તાનથી આવ્યો હતો.
જેમાં પણ દેશમાં આ પ્રકારના હુમલા માટે તૈયારી થઈ રહી હોવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલ ના પગલે સુરક્ષા દળોને પોતાની મહત્તમ સાવધાની રાખવા જણાવાયુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથને ખતમ કરવાની મળી ધમકી, જાણો સમગ્ર મામલો."