બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી, રાજકોટમાં નવા બનેલા બિલ્ડિંગમાં મિસ્ત્રી કામ કરતા યુવાન છઠ્ઠા માળેથી નીચે પડ્યા, સારવાર દરમિયાન મૃત્યુ…

Published on: 5:51 pm, Wed, 20 April 22

રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. રાજકોટના મવડીથી કણકોટ જતા વગડ ચોકડી પાસે નવા બની રહેલા બિલ્ડિંગમાં છઠ્ઠા માળે મિસ્ત્રી કામ કરતા યુવાન બારીની જગ્યામાંથી છઠ્ઠા માળેથી નીચે પડી ગયા હતા. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યારબાદ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર 45 વર્ષે કમલેશભાઈ ભગવાનજીભાઈ ચંદવાણી રાજકોટમાં વગડ ચોકડીએ નવા બનેલા ફલોરા પ્રાઈમ નામના બિલ્ડિંગમાં એક મહિનાથી ફર્નિચરનું કામ કરતા હતા.

કમલેશભાઈ મવડીમાં ક્રિષ્ના સ્ક્વેર 3માં રહેતા હતા. તેઓ મિસ્ત્રી કામ કરતા હતા. મળતી માહિતી અનુસાર ગઈકાલે જ્યારે તેઓ ફ્લેટ પર બારી પાસે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન કમલેશભાઈ છઠ્ઠા માળેથી નીચે પડે છે. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને કમલેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન કમલેશભાઈ નું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા કમલેશભાઈને બે દીકરાઓ છે. કમલેશભાઈના મૃત્યુના કારણે બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કમલેશ ભાઈનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી, રાજકોટમાં નવા બનેલા બિલ્ડિંગમાં મિસ્ત્રી કામ કરતા યુવાન છઠ્ઠા માળેથી નીચે પડ્યા, સારવાર દરમિયાન મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*