બે દીકરાઓએ માતાની છત્રછાયા ગુમાવી : રેલવે ટ્રેક પરથી એક મહિલાનું મૃતદેહ મળી આવતા મચી ગઇ અફરાતફરી – જાણો સમગ્ર ઘટના

Published on: 4:49 pm, Tue, 18 January 22

સુરેન્દ્રનગરના જોરાવરનગર-વઢવાણ વચ્ચેના રેલવે ટ્રેક પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા અફરાતફરી મચી ગઇ હતી. અકસ્માતમાં મહિલાનો જીવ ગયો છે કે મહિલાએ જાતે જ પોતાનો જીવ ગુમાવ્યો છે એની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર રેલવે ટ્રેક પરથી આરતીબેન રાજુભાઈ પોપટ નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃત્યુ પામેલી મહિલાની ઉંમર 34 વર્ષની હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાનો મૃતદેહ જોરાવરનગર-વઢવાણ વચ્ચેના રેલવે ટ્રેક ઉપરથી મળી આવ્યું હતું.

પોલીસમાં આ બનાવ ટ્રેન અડફેટે અકસ્માતમાં સવારે 10:35 કલાકે બન્યું હોવાનું તથા 3:00 લક્ષ્મી ચંદ્ર ભાઈ રવજી ભાઈ પોપટએ જાહેર કર્યું હોવાનું નોંધાયું છે. આ સમગ્ર ઘટના બનતા જ જોરાવરનગર માં શોખ નું વાતાવરણ છવાઈ ગયું હતું.

આ ઉપરાંત એવી ચર્ચાઓ થઈ રહી છે કે, મૃત્યુ પામેલી આરતીબેન ટ્રેનની સામે આવીને જાતે જ પોતાનું જીવન ટૂંકાવી લીધું હોય છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પિયર જવાના બાબતે આનાકાની થતાં આરતીબેનને માઠું લાગ્યું હતું અને તેમણે આ પગલું ભર્યું હતું.

આરતીબેન ના મૃત્યુના કારણે બે દીકરાઓએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. આરતીબેનને બે દીકરા છે. જેમાંથી એકની ઉંમર 13 વર્ષની ઉંમર 7 વર્ષની છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે દીકરાઓએ માતાની છત્રછાયા ગુમાવી : રેલવે ટ્રેક પરથી એક મહિલાનું મૃતદેહ મળી આવતા મચી ગઇ અફરાતફરી – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*