સુરતમાં બે મિત્રોએ મળીને પોતાના 19 વર્ષના મિત્રનો જીવ લઈ લીધો… જાણો શું છે જીવ લેવાનું કારણ…

સુરતમાં બનેલી વધુ એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. સુરતના વેડરોડ વિસ્તારમાં બે મિત્રોએ મળીને પોતાના એક મિત્રનો જીવ લઈ લીધો છે. આ ઘટનામાં સોશિયલ મીડિયામાં ફોટો મુકવાની બાબતમાં બે મિત્રોએ મળીને પોતાના એક મિત્ર ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. માહિતી માહિતી અનુસાર સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં લોકોના જીવ લઈ લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં 19 વર્ષના જયદેવ પવાર નામના યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

બે મિત્રોએ મળીને જઈદેવ પવાર પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાની બાબતમાં માથાકૂટ થઇ હતી. જાણવા મળી રહ્યું છે કે પપ્પુ પ્રધાન અને દિપક પ્રધાન નામના બે યુવકોએ મળીને જયદેવ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.

મૃત્યુ પામેલા જયદેવની મહિલા ફ્રેન્ડનો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ વધારવા માટે ફોટો પોસ્ટ કરવાની વાતને લઈને ઝઘડો થયો હતો અને પછી આ ઝઘડો જીવ લેવાનું કારણ બની ગયું હતું.

જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનામાં બંને આરોપીઓને પણ ઈજા પહોંચી હતી જેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના બન્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*