બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી : ઘરે પરત ફરી રહેલી મહિલાનું રસ્તામાં અકસ્માતમાં કરૂણ મૃત્યુ…

Published on: 5:04 pm, Thu, 27 January 22

અલીગઢ-મથુરા હાઇવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર બાઈક પર સવાર માતા, પુત્ર અને બાબાને પાછળથી આવતી એક બોલેરો કાર જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતમાં બાઇક પર સવાર મહિલાનું કરૂણ મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાના સસરા અને પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી. તેઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મહિલા પોતાના સસરા સાથે સાથે પોતાના પુત્ર ચિરાગ માટે દવા લેવા માટે વૃંદાવન ગયા હતા.

વૃંદાવન થી ગામ તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે અલીગઢ મથુરા રોડ પર એક બોલેરો કાર ચાલકે તેમની બાઇકને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર થઈને લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત બાઈક સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગઇ હતી.

આ અકસ્માતમાં કવિતા નામની મહિલાને સારવાર માટે ગંભીર હાલતમાં મથુરાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલમાં ડોક્ટર એ કવિતાને મૃત જાહેર કરી હતી. ઉપરાંત મહિલાના સસરા અને તેના બાળકને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી : ઘરે પરત ફરી રહેલી મહિલાનું રસ્તામાં અકસ્માતમાં કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*