“અલી બાબા” સિરિયલમાં ભૂમિકા ભજવનાર ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ ગળાફાંસો ખાઈ લીધો, મૃત્યુના 5 કલાક પહેલા…

Published on: 7:32 pm, Sat, 24 December 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં વધુ એક અભિનેત્રી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયો હતો. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

ત્યારે હાલમાં ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ ટીવી સિરિયલના સેટ પર ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થયા બાદ તુનિષાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તુનિષાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.

મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટીવી એક્ટ્રેસ તુનિષાએ મેકઅપ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું હતું. તુનિષાની વાત કરીએ તો તેઓ SAB ટીવી પર આવતી “અલી બાબા : દાસ્તાન એ કબુલ” નામની સિરિયલમાં રાજકુમારી મરિયમની ભૂમિકા ભજવતી હતી.

આ સીરીયલ કે તે ખૂબ જ જાણીતી પણ બની હતી. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, તુનિષા છેલ્લા દિવસોમાં ટીવી સિરિયલ સેટ પર ખૂબ જ ઉદાસ રહેતી હતી. તુનિષાની વાત કરીએ તો 20 વર્ષની ઉંમરે તેને ટીવી શો “ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ”થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ત્યારબાદ તેને સફળતા મળી અને તે ચક્રવતી અશોક સમ્રાટ, ગબ્બર પૂછવાલા, શેર-એ-પંજાબ : મહારાણા રણજીત સિંહ, ઇન્ટરનેટ વાલા લવ, ઇશ્ક સુભાનલ્લાહ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. મૃત્યુના પાંચ કલાક પહેલા તુનિષા શર્માએ પોતાના instagram હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tunisha Sharma (@_tunisha.sharma_)

ફોટાના કેપ્શનમાં તેને લખ્યું હતું કે, ‘જે પોતાનું ઝુનનું નથી પ્રેરિત હોય છે તેઓ થોભતા નથી’ તુનિષાના મૃત્યુના કારણે સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયો છે. અભિનેત્રીએ કયા કારણસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "“અલી બાબા” સિરિયલમાં ભૂમિકા ભજવનાર ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ ગળાફાંસો ખાઈ લીધો, મૃત્યુના 5 કલાક પહેલા…"

Leave a comment

Your email address will not be published.


*