ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ અટેકના બનાવો વધી ગયા છે. ત્યારે હાલમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાના વધુ બે કિસ્સા સામે આવી રહ્યા છે.
આ ઘટના કાંકરેજ તાલુકાના ઝાલમોર ગામમાં ગુરૂવારના રોજ હાર્ટ એટેક આવવાના કારણે બે વ્યક્તિઓના મોત થયા છે. ઘટના બનતા જ મૃતકના પરિવારજનો અને આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, કાંકરેજ તાલુકાના ઝાલમોર ગામના 50 વર્ષના કલ્યાણભાઈ માધાભાઈ પીલીયાતર પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા હતા.
ગુરૂવારના રોજ ચાલુ નોકરી દરમિયાન અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું કરુણ મોત થયું હતું. આ વાતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઉપરાંત તે જ ગામના 62 વર્ષના પ્રધાનજી ગુલાબજી ઠાકોર નામના વ્યક્તિનું પણ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.
એક જ ગામના બે સભ્યોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઉપરાંત ગામના ત્રીજા એક વ્યક્તિને પણ હાર્ટ એટેક આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેમનો જીવ બચી ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment