રાજકોટમાં 8 વર્ષના બાળકનું અગમ્ય કારણોસર કરૂણ મૃત્યુ, પરિવારજનોએ બાળકને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ…

Published on: 3:38 pm, Sat, 23 April 22

રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટના રૈયાધારમાં આઠ વર્ષના બાળકનું અગમ્ય કારણોસર બેભાન અવસ્થામાં મૃત્યુ થયું છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. એટલું જ નહીં પરંતુ બાળકના પરિવારજનોએ બારોબાર અંતિમ વિધિ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યાં જઈને પોલીસે આઠ વર્ષના બાળકના મૃતદેહને કબજે લઇને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. મળતી માહિતી અનુસાર રાજકોટ રૈયાધાર વિસ્તારમાં મચ્છો માની ડેરી સામે રહેતા હરભમભાઈને હાજા નામનો આઠ વર્ષનો બાળક છે.

મળતી માહિતી અનુસાર બાળક ગઇકાલે બપોરે તેના ઘરની બહાર રમતો હતો. આ દરમિયાન બાળકને કરંટ લાગ્યો હતો. એવું રટણ કરીને એ ઘરે આવ્યો હતો. ત્યારે બાળકના પિતાએ તેને સુવડાવી દીધો હતો. જ્યારે સાંજના સમયે પિતાએ પોતાના બાળકને ઉગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ઉઠ્યો નહીં.

બાળકનું કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બન્યા બાદ પરિવારજનોએ બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ મૃતદેહની અંતિમ વિધિ માટેની કામગીરી શરૂ કરી દીધી હતી અને સાથે એક વાગ્યાની આસપાસ બાળકના મૃતદેહને સ્મશાન લઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્મશાન પહોંચી આવી હતી. ત્યાં પોલીસે બાળકના મૃતદેહને કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં 8 વર્ષના બાળકનું અગમ્ય કારણોસર કરૂણ મૃત્યુ, પરિવારજનોએ બાળકને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ…"

Leave a comment

Your email address will not be published.


*