મંદિરે દર્શન કરીને ઘરે જતા પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં કરુણ મોત…માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો…’ઓમ શાંતિ’

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક ટેન્કરની ટક્કરના કારણે બાઇક સવાર પોલીસ કોન્સ્ટેબલે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલનું નામ કુલદીપ સિંહ હતું અને તેમની ઉંમર 25 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર પોલીસ કોન્સ્ટેબલ માં પીતાંબરા પીઠાના દર્શન કરીને બાઇક લઈને ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક ટેન્કર ચાલે કે તેમની બાઈક અને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક સવાર પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ સિંહનું કરુણ મોત થયું હતું.

કુલદીપસિંહના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી સામે આવી રહી છે.

વિગતવાર વાત કરે તો કુલદીપ સિંહ 2019માં એમપી જેલમાં કોન્સ્ટેબલની નોકરી મળી હતી. લગભગ બે દિવસ પહેલા તેઓ છ દિવસની રજા લઈને પોતાના ઘરે આવ્યા હતા. શુક્રવારના રોજ સાંજના સમયે તેઓ પોતાની બાઈક લઈને મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને તેઓ ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ટેન્કર ચાલકે તેમની બાઈક અને ટક્કર લગાવી હતી.

ટક્કર અટકી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં કુલદીપસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તેમની હાલત વધારે પડતી ગંભીર હોવાના કારણે તેમને વધુ સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ દિલ્હી પહોંચે તે પહેલા તો રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા કુલદીપસિંહ તેના માતા-પિતાના એકના એક દીકરા હતા. પરિવારના એકના એક જુવાનજોધ દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*