અકસ્માતમાં 6 વર્ષના બાળકનું કરંટ લાગવાના કારણે કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 9:51 am, Sun, 23 January 22

છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે તલોદના મજર રોડ પર શનિવારના રોજ સવારે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 6 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર દહેગામથી આવી રહેલ બાઇકચાલક રોડ પર અચાનક વીજ વાયર તૂટી આગળ બેઠેલા 6 વર્ષના બાળક સાથે અથડાયો હતો.

તેના કારણે બાઈકચાલકે તાત્કાલિક બ્રેક લગાવી હતી. ત્યારે પાછળથી આવી રહેલા ટર્બોના ચાલકે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી તેના કારણે બાઈક પર સવાર પતિ-પત્ની ફંગોળાયા હતા અને તેમના 6 વર્ષના દીકરાનું કરંટ લાગવાના કારણે મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર દહેગામના મામાપરાથી લાલભાઈ બાબુભાઈ ઠાકોર તેમની પત્ની કાજલબેન અને દીકરા રુદ્ર સાથે પોતાની GJ 09 DB 1914 નંબરની બાઈક લઈને નીકળી હતા.

અને તલોદ મજરા રોડ પર દસ વાગ્યાની આસપાસ અચાનક જ એચડી લાઈનનો વીજવાયરો તૂટીને બાઈક પર આગળ બેસેલા રુદ્રના મોઢાના ભાગે અને લાલભાઈના હાથે અડી જતા કરંટ લાગ્યો હતો તેના કારણે તેમને અચાનક જ બાઈક ને બ્રેક લગાવી દીધી હતી.

ત્યારે પાછળથી આવી રહેલા એક ટર્બોના ચાલકે બાઇકને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. જેના કારણે બાઇક પર સવાર પરિવાર હવામાં ફંગોળાઇ ગયું હતું.

6 વર્ષના બાળક રુદ્ર રોડ પર પડતાં તેના કરંટ લાગવા સહિત જીવલેણ ઈજાઓ થઈ હતી. ત્યારબાદ આખા પરિવાર ની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રુદ્રને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અકસ્માતમાં 6 વર્ષના બાળકનું કરંટ લાગવાના કારણે કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*