ઉમરેઠ નહેરમાં ન્હાવા ગયેલા 4 બાળકોમાંથી 2 બાળકોના પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 11:04 am, Wed, 4 May 22

ઉમરેઠ તાલુકામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામની સીમમાંથી પસાર થતી મોટી કેનાલ ન્હાવા પડેલા ચાર બાળકોમાંથી બે બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. આ કારણોસર બંનેના કરૂણ મૃત્યુ થયા છે. આ ઘટના બનતા ગામમાં અને પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર નહેરમાં અચાનક પાણીનો ફોર્સ વધી જતાં બાળકો પાણીમાં તણાવા લાગ્યા હતા. આ ઘટના બનતા જ આસપાસના લોકોએ પાણીમાં તણાઈ રહેલા બે બાળકોને બચાવી લીધા હતા. પરંતુ બે બાળકો પાણીના પ્રવાહમાં તણાઈ જવાના કારણે બંનેના કરૂણ મૃત્યુ થયા છે.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ સાંજ સુધી નહેરમાં શોધખોળ દરમિયાન એક બાળકનો મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારે બીજા બાળકોને મૃતદેહ મંગળવારના રોજ એક કિલોમીટર દૂર મળી આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે બંને બાળકોના મૃતદેહને તેમનાં પરિવારજનોને સોંપી દીધા હતા. સમગ્ર ઘટનાને લઇને ઉમરેઠ પોલીસે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ઉમરેઠ તાલુકાના રતનપુર ગામે 14 વર્ષે હર્ષદ તેના અન્ય ત્રણ મિત્રો સાથે ઉનાળાની કાળઝાળ ગરમીથી ઠંડક મેળવવા માટે ગામની સીમમાંથી પસાર થતી મોટી નહેરમાં ન્હાવા માટે ગયો હતો.

આ દરમિયાન અચાનક નહેરમાં પાણીનો ફોર્સ વધી જાય છે અને બાળકો પાણીમાં તણાવા લાગે છે. જેના કારણે બે બાળકો બુમાબુમ કરવા લાગે છે તે આસપાસના લોકો બે બાળકોને બચાવી લે છે. પરંતુ અન્ય બે બાળકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.

આ ઘટનામાં સોમવારના રોજ મોડી સાંજે એક બાળકનો મૃતદેહ મળી આવ્યું હતું. જ્યારે હર્ષદ નાના બાળકનો મૃતદેહ મંગળવારના રોજ એક કિલોમીટર દૂર મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઉમરેઠ નહેરમાં ન્હાવા ગયેલા 4 બાળકોમાંથી 2 બાળકોના પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*