કરોડો અન્નદાતાઓ માટે કાલનો દિવસ અતિ મહત્વપૂર્ણ, ખેડૂતોને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી

Published on: 5:04 pm, Thu, 13 May 21

ભારતમાં મહામારી ના સંકટ સામે પસાર થઇ રહ્યો છે ત્યારે ભારત સરકાર તરફથી આવતી કાલે કરોડો ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ ના પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. ગુજરાત સહિત વાયરસના કેસ વધી રહ્યા છે.

અને બીજા લહેર ના કહેર થી દેશ પસાર થઇ રહ્યો છે. સતત વધતા કેસ વચ્ચે આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ફરીથી દેશને સંબોધિત કરવાના છે.

પ્રધાનમંત્રી મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતો સાથે સંવાદ કરશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે.

કે દેશના કરોડો અને દાતાઓ માટે કાલનો દિવસ સૌથી મહત્ત્વનો છે. સવારે 11:00 વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો આઠ મો હપ્તો ખેડૂતોના ખાતામાં જાહેર કરવામાં આવશે.

આ અવસર પર ખેડૂત ભાઈઓ બહેનો સાથે સંવાદ પણ કરીશ. ભારત સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે જેમાં ભારતના કરોડો ગરીબો ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે.

આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. ભારત સરકારની યોજના અનુસાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયા આર્થિક સહાય યોજના દ્વારા આપવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કરોડો અન્નદાતાઓ માટે કાલનો દિવસ અતિ મહત્વપૂર્ણ, ખેડૂતોને સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી"

Leave a comment

Your email address will not be published.


*