આનંદીબેન પટેલે માફ કરેલો ટોલટેક્ષ શું રાજ્યની રૂપાણી સરકારે ચાલુ કર્યું? જાણો શું કહેવું છે સરકારનું

Published on: 11:38 am, Thu, 1 April 21

સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વાતો વાયરલ થતી હોય છે જેમાં કેટલીક વાતો ખોટી પણ હોય છે. હાલમાં એક ખબર વાયરલ થઇ રહી છે અને તે પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદ મહેસાણા હાઇવે નો ટોલ ટેક્સ વધ્યો છે.

અને 1 એપ્રિલથી તમામ વાહન ચાલકો પાસેથી વધારેલા ટોલ ટેક્ષની રકમ વસુલાત કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં એક ન્યૂઝ પેપરની જાહેરાત નું એક પેપર કટીંગ વાયરલ થઈ રહ્યું છે. જે જાહેરાત રોડ્સ અને બિલ્ડીંગ દ્વારા આપવામાં આવી હતી.

જે બાદ રોડ અને બિલ્ડીંગ વિભાગ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી.જોકે આ વાત સાથે શેર કરવામાં આવેલો દાવો ખોટો છે. લોકો એ ટોલ ટેક્સ ભરવાની વાત ખોટી છે.

અને અમદાવાદ મહેસાણા હાઈવે પર પેસેન્જર કાર, ટુ વ્હીલર, થ્રી વીલર અને GSRTC ની બસને આપેલ ટોલમુક્તિ યથાવત રહેશે. એક ફેસબુક યુઝરે આ પોસ્ટ શેર કરી હતી.

નોંધનીય છે કે,પીઆઈબી ફેકટ ચેક કેન્દ્ર સરકાર ની પોલિસી સ્કીમ,વિભાગો,મંત્રાલયો ને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે.

સરકાર થી જોડાયેલી કોઈ પણ ખબર છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેકટ ચેક ની મદદ લઈ શકો છે.પીઆઇબી ફેકટ ચેક ને કોઈ પણ શંકાસ્પદ સમાચાર નો સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા.

યુઆરએલ વોટસએપ નંબર 8799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આનંદીબેન પટેલે માફ કરેલો ટોલટેક્ષ શું રાજ્યની રૂપાણી સરકારે ચાલુ કર્યું? જાણો શું કહેવું છે સરકારનું"

Leave a comment

Your email address will not be published.


*