ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં એક મહિલાની ઉઘરાણીથી કંટાળીને એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. મળતી માહિતી અનુસાર દસ વર્ષ સુધી યુવકે લીધેલા પૈસાનું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં પણ મહિલા તેની પાસે પૈસાની ઉઘરાણી કરતી અને જીવ લેવાની ધમકી આપતી હતી.
મહિલાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો નોંધીને મહિલાની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરી છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મોહમદ સાદિક શેખ હતું અને તેની ઉંમર 46 વર્ષની હતી. તેઓ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુહાપુરામાં રહેતા હતા.
સમગ્ર ઘટનાને લઈને મૃતક વ્યક્તિના ભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર સાદિક શેખ 18 જુલાઈના રોજ ઘરમાં ગળાફસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર મૃતક વ્યક્તિની અંતિમવિધિ પતાવીને પરિવારના લોકો ઘરે પરત આવ્યા હતા, ત્યારે પરિવારના લોકોને પલંગના ગાદલા નીચેથી એક ચિઠ્ઠી મળી આવી હતી.
સુસાઇડ નોટમાં મૃતક વ્યક્તિએ પોતાના સુસાઇડ પાછળનું કારણ શાહઅલમ વિસ્તારમાં રહેતી યાસ્મીનબાનુ શેખ હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી અનુસાર સાદિક શેખે દસ વર્ષથી પોતાના અને યાસ્મીનબાનુના નાણાકીય વ્યવહારો અંગે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તે દસ વર્ષથી યાસ્મીનબાનુ પાસે ઉછીના પૈસા લેતો હતો અને જેનું વ્યાજ પણ ભરતો હતો.
છતાં પણ યાસ્મીનબાનુ સાદીક શેખને ધમકી આપતી હતી. તેથી સાદીક શેકે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ નોટમાં મળતી વિગતોના આધારે, અત્યાર સુધીમાં યાસ્મીનબાનુ પાસે જેટલા રૂપિયા લીધા તે બધા રૂપિયા વ્યાજ સાથે પરત આપી દીધા હતા. છતાં પણ આરોપી મહિલા વધુ પૈસાની માંગણી કરતી હતી અને જીવ લેવાની ધમકી પણ આપતી હતી.
મહિલાના ત્રાસથી કંટાળીને સાદિક શેખે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને વેજલપુર પોલીસ સુસાઇડ નોટના આધારે મહિલા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરી છે. મૃતક યુવક ના કારણે બે બાળકો પિતા વગરના થઈ ગયા છે. પોલીસ હાલમાં આ સમગ્ર ઘટના ને લઈને કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "અમદાવાદમાં વ્યાજખોર મહિલાના ત્રાસથી કંટાળીને એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, વ્યક્તિએ સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…"