આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર માટે આ નેતાની કરી પસંદગી,ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત

Published on: 10:15 am, Wed, 5 January 22

પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં મુખ્યમંત્રીપદના ઉમેદવાર માટેની મોટી જાહેરાત કરી શકે છે. મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી માટે ભગવત માન ની નામ પર મહોર લાગી શકે છે. આમ આદમી પાર્ટી રાજ્યમાં મુખ્યમંત્રી નો ચહેરો ઘોષિત કરનારી પ્રથમ પાર્ટી બની જશે.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર ભગવત માન ને આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી નો ચહેરો બનાવવાને લઇને પાર્ટી ની પીસી બેઠકમાં સહમતી પણ બની ગઈ છે.

હવે બસ સત્તાવાર એલાન થવાનું બાકી છે.જોકે ભગવત માન ના નામની ચર્ચા 2017 ની ચૂંટણીમાં પણ થઈ હતી ત્યારે પાર્ટીએ પોતાનો કોઈ મુખ્યમંત્રી કેન્ડિડેટ ઘોષિત કર્યો ન હતો.ભગવંત માન પંજાબના સંગરૂર લોકસભા વિસ્તાર માંથી સાંસદ છે.

તેઓ આ વિસ્તારમાંથી સતત બે વાર ચૂંટાયા છે. રાજનીતિમાં આવ્યા તે પહેલા તેઓ લોકપ્રિય હાસ્ય કલાકાર રહી ચૂક્યા છે.

ભગવત માને પોતાના રાજકીય કરિયરની શરૂઆતમાં મનપ્રીત સિંહ બાદલ ની પંજાબ પીપલ્સ પાર્ટીમાંથી કરી હતી અને બાદમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર માટે આ નેતાની કરી પસંદગી,ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત"

Leave a comment

Your email address will not be published.


*