મા ભોમની રક્ષા કરતા કરતા ઝાલાવાડ નો આ જવાન થયો શહિદ, રડતા રડતા ગામલોકોએ આપી અંતિમ વિદાય

Published on: 12:24 pm, Thu, 28 October 21

દેશની સેવા કરવા માટે હંમેશા આપણા સેનાના જવાન તૈયાર જ હોય છે. સેનાના જવાન કોઈ દિવસ તડકો હોય કે છાયડો કે પછી વરસાદ હોય તો પણ કંઈ પણ જોયા વગર 24 કલાક દેશની સેવા માટે અડગ રહે છે. આપણે આવા જ એક સેનાના જવાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દેશની સેવા કરતા કરતા શહીદ થઈ ગયા છે.

આ જવાન નું નામ રઘુભાઈ બાવળીયા છે જેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામના વતની હતા અને તેમની ફરજ પર તે હતા તે જ વખતે દેશની સેવા કરતા કરતા શહીદ થઈ ગયા.તેમની શહાદત ના સમાચાર પરિવારને મળતાજ ઘરમાં વાતાવરણ શોકમય બની ગયું હતું.

પરિવારના બધા જ લોકો ખૂબ દુઃખી થઈ ગયા હતા અને સાથે ગામના લોકોમાં પણ ભારે શોકનો માહોલ સર્જાયો હતો અને આ વીર જવાન શહીદ થયાને થોડા મહિનાઓ થઈ ગયા છેઆપણી સેનાના જવાન પરિવારથી જુદા રહીને દેશની સેવા કરતા હોય છે અને જે આપણે બધા માટે ગર્વની વાત છે.

કેમ કે આ જવાન હંમેશા દેશની સેવા કરવા માટે તૈયાર રહેતા હોય છે. જે વખતે આ જવાનના પાર્થિવ દેહને તેમના વતનમાં લાવવામાં આવ્યો તે વખતે ઘણી મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.લોકોએ ભેગા થઈને આ જવાન ના પાર્થિવદેહ પર ફૂલો વરસાવીને આ જવાન ને શ્રદ્ધાંજલિ આપી હતી. તેની સાથે સાથે આ જવાનની માતા એ રડતા રડતા એવું કહ્યું હતું કે ધરતી પર આવા બહાદુર દીકરાઓને જન્મ આપજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મા ભોમની રક્ષા કરતા કરતા ઝાલાવાડ નો આ જવાન થયો શહિદ, રડતા રડતા ગામલોકોએ આપી અંતિમ વિદાય"

Leave a comment

Your email address will not be published.


*