આ મહિલાએ પોતાની તબિયત સુધારવા લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા, પરંતુ મહિલાની તબિયતમાં સુધારો ન આવ્યો, છેવટે મહિલાએ માં મોગલની માનતા રાખી અને…

Published on: 6:55 pm, Mon, 6 June 22

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે કે કોઈપણ વ્યક્તિને દુઃખી જોઈ શક્તી નથી. માં મોગલ અત્યાર સુધી લાખો લોકોને પરચાઓ પણ બતાવ્યા છે અને માં મોગલ એ તો લોકોને 60 વર્ષે પણ દિકરા દીધા છે.

માં મોગલ પર માત્ર વિશ્વાસ રાખવામાં આવે તો ભક્તો ના બધા જ દુઃખ અને તકલીફો દૂર થઇ જાય છે. એવામાં લોકો છેક મરણ સુધી પહોંચી ગયા હોય તો તેમને પણ માં મોગલએ સાજા કર્યા છે. એવામાં આજે અમે તમને એવા જ એક કિસ્સો વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં એક મહિલા ની માનતા પૂર્ણ થતાની સાથે જ તે 11,000 રૂપિયા લઈને માં મોગલ ની માનતા પૂરી કરવા માટે આવી હતી.

કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામ એ આવી પહોંચેલી આ મહિલાએ તેની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામે બિરાજમાન એવાં મણીધર બાપુને 11000 રૂપિયા આપ્યા અને આશીર્વાદ લીધા હતા, ત્યારે કબરાઉ ધામ મોગલ ધામ એ બિરાજમાન એવા મણીધર બાપુ એ તેને પૂછ્યું હતું કે શેની માનતા હતી.

ત્યારે મહિલાએ વાત કરતાં જણાવ્યું હતું કે ઘણા સમયથી તેમની તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી.ઘણા દવાખાનાઓ એ ધક્કા ખાધા પરંતુ કોઈપણ પ્રકારની સારવાર ન મળી અને તબિયતમાં સુધારો આવ્યો નહીં.છેવટે મેં માં મોગલ ને યાદ કર્યા અને માં મોગલ ની માનતા માની હતી.

માં મોગલ પર વિશ્વાસ રાખતા માં મોગલે આ મહિલાની મનોકામના પૂર્ણ કરી, ત્યારે આ મહિલાની તબિયત સારી થઈ ગઈ હોવાથી તે 11,000 રૂપિયા કબરાઉ ધામ આવીને માં મોગલના ચરણે અર્પણ કર્યા ત્યારે મહિલાએ કહ્યું કે મોગલ ની કૃપાથી તબિયતમાં સુધારો આવી ગયો અને પોતાના પગથી તે ધીરે-ધીરે ચાલવા લાગી.

મણીધર બાપુએ આ મહિલાને 11 હજાર રૂપિયામાં 1 રૂપિયો ઉમેરીને મહિલાને પાછા આપ્યા અને કહ્યું કે લે આ તારી દીકરીને આપજે માં મોગલ તારી માનતા 11 ગણી સ્વીકારશે અને માં મોગલ નો આ કોઈ ચમત્કાર ન માનતા તમે જે વિશ્વાસ રાખ્યો તેના લીધે તમારી મનોકામના પૂર્ણ થઈ છે. માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી પરંતુ માં મોગલ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેમને શ્રદ્ધાથી માનવામાં આવે તો ભક્તો ના બધા જ દુઃખ દૂર કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ મહિલાએ પોતાની તબિયત સુધારવા લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા, પરંતુ મહિલાની તબિયતમાં સુધારો ન આવ્યો, છેવટે મહિલાએ માં મોગલની માનતા રાખી અને…"

Leave a comment

Your email address will not be published.


*