ગુજરાત રાજ્યના ખેડૂતોને મનાવવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપ્યું આ સૂચન.

Published on: 6:48 pm, Sun, 17 January 21

બોટાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું અને APMC કોટન માર્કેટ યાર્ડ નું લોકાપર્ણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ કર્યું હતું. આ પ્રસંગે સૌરભભાઈ પટેલ, વિભાવરીબેન દવે, ભારતીબેન શિયાળ, આત્મારામભાઇ પરમાર.

ભીખુભાઈ વાઘેલા અને શામજીભાઈ મિયાણી ઉપરાંત ચંદ્રકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.સીઆર પાટીલે પક્ષના તમામ કાર્યકરોના સન્માન ઉપર ભાર મૂકતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરોનું સન્માન જળવાવું જોઇએ.

કારણ કે કાર્યકરો જ પક્ષને આગળ લાવે છે. સરકારી યોજનાઓ ને પ્રજાલક્ષી કરવાની માહિતી આપવા ઉપર અને પ્રસાર ઉપર ટેકનોલોજીના ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.કેન્દ્ર સરકારની ગુજરાત સરકારની ખેડૂત લક્ષી યોજનાઓ થી.

ગુજરાતના ખેડૂતોને થયેલા લાભો અંગે તેઓએ માહિતી આપી હતી.કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા તમામ ખેડૂતો અંગે કાર્ય ઉપર ભાર મૂકીને તેઓ ખેડૂતોને રીઝવવા માંગતા હોય તેવું લાગી રહ્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે સી આર પાટીલ ગુજરાત રાજ્યના અલગ-અલગ શહેરો અને ગામડામાં મુલાકાત કરી રહ્યા છે અને સરપંચો સાથે સંવાદ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના ખેડૂતોને મનાવવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપ્યું આ સૂચન."

Leave a comment

Your email address will not be published.


*