જગતના તાત માટે ખુશીના સમાચાર,ખેડૂતોને મોટી મદદ કરશે મોદી સરકારની આ યોજના

Published on: 10:44 am, Mon, 11 October 21

મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા અને આર્થિક મદદ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. પીએમ કિસાન ના આધારે ખેડૂતોને ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયા જમા કરવામાં આવશે. ખેડૂતોને ખેતી માટે અનેક મશીન ની જરૂર રહે છે.

ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકાર ટ્રેક્ટર ખરીદવા માટે સબસીડી આપે છે. આ સબસિડી પીએમ કિસાન યોજનાના આધારે અપાઈ રહી છે.ખેડૂતોને ખેતી માટે ટેકટર ની જરૂર હોય છે.દેશમાં અનેક ખેડૂતો એવા છે જેની પાસે આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે ટ્રેક્ટર નથી.

એવી સ્થિતિમાં તેમને ટ્રેક્ટર ભાડે લેવા પડે છે અને બળદનો ઉપયોગ કરવો પડે છે. સરકાર ખેડૂતોની મદદ માટે આ યોજના લાવી છે જેમાં ખેડૂતોને અડધા ભાવે ટ્રેક્ટર આપશે.ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકાર સબસિડી આપે છે.

તેના આધારે ખેડૂત કોઈપણ કંપનીનું ટ્રેક્ટર અડધા ભાવે ખરીદી શકે છે.અન્ય અડધા રૂપિયા સરકારના સબસીડી ના ભાગરૂપે આપે છે. આ સિવાય અનેક રાજ્ય સરકાર પણ ખેડૂતોને પોતાની રીતે ટ્રેક્ટર પર 20 થી 50 ટકા સુધીની સબસિડી આપે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જગતના તાત માટે ખુશીના સમાચાર,ખેડૂતોને મોટી મદદ કરશે મોદી સરકારની આ યોજના"

Leave a comment

Your email address will not be published.


*