આ વ્યક્તિના પત્નીને કમરનો ખૂબ જ દુખાવો હતો, માં મોગલની માનતા રાખી અને કમરનો દુખાવો મટી ગયો, 32 હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…

Published on: 2:58 pm, Sun, 3 July 22

કહેવાય છે કે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે, ત્યારે ભક્તો માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે તો માં મોગલ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. માં મોગલ ભક્તોના બધા જ દુઃખ દૂર કરે છે, ત્યારે ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુખ આવે છે.

ત્યારે માં મોગલને અચૂક યાદ કરતા હોય છે અને માં મોગલ ની માનતા માને છે. સાંભળ્યું છે કે આજ દિન સુધીમાં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે અને ભક્તો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલની માનતા માને છે. એવામાં જ આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જેમાં માં મોગલ પર રાખેલો વિશ્વાસ એ યુવકને ફળયો છે.વાત જાણે એમ છે કે અંકલેશ્વરમાં રહેતો એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવેલા માં મોગલ ધામે આવી પહોંચ્યો હતો. ત્યારે ત્યાં બિરાજમાન એવા મણીધર બાપુના આશીર્વાદ લીધા.

એવામાં મણીધર બાપુએ યુવકને પૂછ્યું હતું કે બેટા શેની માનતા હતી. યુવકે જણાવતા કહ્યું કે તેની પત્નીને ઘણા સમયથી કમરનો દુખાવો રહેતો હતો.ઘણી દવાઓ કરાવી છતાં કોઈ ફેર પડ્યો નહીં અને અંતે માં મોગલ પર શ્રદ્ધા રાખી અને માં મોગલની માનતા માની હતી.

માં મોગલ પર વિશ્વાસ રાખ્યો તેનાથી આ યુવકની પત્નીને થોડા સમયમાં જ તેના કમરનો દુખાવો ઓછો થઈ ગયો હતો અને માનતા પૂરી થતાની સાથે જ યુવક કબરાઉ ધામ આવી પહોંચ્યો હતો.માં મોગલ ના ચરણે 32000 અર્પણ કર્યા. મણીધર બાપુએ એ 32 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પાછા આપ્યા અને કહ્યું કે માં મોગલ એ તારી માનતા 33 ગણી સ્વીકારી છે.

આ રૂપિયા તું તારી દીકરીને આપજે માં મોગલ રાજી થશે અને આ કોઈ ચમત્કાર નથી. પરંતુ તમે માં મોગલ પર રાખેલો વિશ્વાસ કે જે તમને ફળ્યો છે. માં મોગલને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિના પત્નીને કમરનો ખૂબ જ દુખાવો હતો, માં મોગલની માનતા રાખી અને કમરનો દુખાવો મટી ગયો, 32 હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*