ધોરણ 1 થી 5 ના ઓફ્લાઈન વર્ગો શરૂ કરવાને લઈને સરકાર લઈ શકે છે આ મોટો નિર્ણય,જાણો

Published on: 4:17 pm, Tue, 21 September 21

નવરાત્રી પહેલા ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો શરૂ થવાની પ્રબળ સંભાવના છે. આ મામલે આગામી અઠવાડિયામાં શાળા સંચાલક મંડળ તરફથી નવા શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે પણ નવરાત્રી પહેલા પ્રાથમિક ધોરણ ના વર્ગો શરૂ થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોરોના ની બીજી લહેર શાંત થયા બાદ રાજ્ય સરકાર ધીમે ધીમે તબક્કાવાર છૂટછાટ આપી રહી છે.

હાલ ગુજરાતમાં ધો 6 થી 12 ના વર્ગો શરૂ થયા છે ત્યારે રાજ્યમાં કોરોના ની સ્થિતિ સુધરતાં સરકારે 15 જુલાઈથી તબક્કાવાર શિક્ષણ કાર્ય અનલૉક કર્યું છે. જે અંતર્ગત કોલેજો અને ધોરણ-12ની શાળાઓ શરૂ કરાયા બાદ ધો 9 થી 11 ની શાળા શરૂ કરવામાં આવી હતી

ત્યારબાદ 2 સપ્ટેમ્બર રાજ્યની તમામ બોર્ડની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ 6 થી 8ના વર્ગો નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.સ્કુલો માટે તકેદારીના ભાગરૂપે જાહેર કરાયેલ શિક્ષણ વિભાગને એસઓપી મુજબ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે

અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે ખબર નથી તેમજ વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમતિ બાદ જ બોલાવવાના રહેશે. આ ઉપરાંત સ્કૂલ કેમ્પસ માં બાળકો એકઠા ન થાય અને આવતા જતા સમયે એક સાથે ટોળામાં ન જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધોરણ 1 થી 5 ના ઓફ્લાઈન વર્ગો શરૂ કરવાને લઈને સરકાર લઈ શકે છે આ મોટો નિર્ણય,જાણો"

Leave a comment

Your email address will not be published.


*