મોરબી બ્રીજ હોનારતમાં તમામ અનાથ બાળકોની જવાબદારી ઉપાડશે સુરતના આ ઉદ્યોગપતિ, મા-બાપ ની છત્રછાયા ગુમાવનારા માટે હવે આ વ્યક્તિ બનશે પિતા…

Published on: 7:36 am, Thu, 3 November 22

મોરબીમાં રવિવારના રોજ મિત્રો ઝૂલતો પુલ તૂટી જતા અતિ દુઃખદ ઘટના સર્જાય હતી જેને લઇને માત્ર મોરબી શહેર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં શોકનો માહોલ છવાયો છે ને આ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે ત્યારે જામનગરના 10 લોકોના મોત થયા હોવાનું જિલ્લા સત્તાવાર જાહેરાત કરી છે અને મૃતકોમાં અનેક ગામોના લોકોનો સમાવેશ થાય છે.

સુરત અને સુરત વાસીઓ હંમેશા મિત્રો લોકોની મદદ માટે તત્પર રહેતા હોય છે અને આ વાતના ઉદાહરણો આપણે મિત્રો ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ થતી હોય છે ત્યારે જોયા છે અને એ જ વાતને સુરતના એક નામચીન ઉદ્યોગપતિએ આગળ ધપાવી છે. અને મોરબીમાં હચમચાવી નાખે તેવી હોનારતને ધ્રુજાવી દે તેવા જશુ આપણે બધાએ મોબાઇલમાં જોયા છે.

આ ઘટનામાં ઘણા બધા લોકો એક જ પોતાના પરિવારને સ્વજનોને ગુમાવી દીધા છે અને કેટલાક બાળકોએ પોતાના માતા પિતાને ગુમાવીને અનાથ બની ગયા છે. સુરત ના ઉદ્યોગપતિ વસંત ગજેરાએ આ તમામ બાળકોના હિત માટે મોટી જાહેરાત કરી છે.

આ ઘટનામાં જે પણ બાળકો નિરાધાર થયા હોય તેવા બાળકોને સંપૂર્ણ જવાબદારી સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉપાડશે તેવું તેમને જણાવ્યું છે. બાળકો જ્યાં સુધી પોતાના પગ પર ન થાય ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી શાંતાબા ચેરીટેબલ ટ્રસ્ટ અને વાત્સલ્ય ધામ ઉપાડશે.

તેવું ઉદ્યોગપતિ વસંત ગજેરા એ જણાવ્યું છે.અને વધુમાં વસંત જણાવ્યું કે અમે તે તમામ બાળકોના માતા-પિતાનો પ્રેમ આપીશું. તે ઘટના માંથી જીવતો પાછો આવનારા રોનક કહે છે કે જ્યારે મને આ ઘટનાની જાણ થઈ ત્યારે મેં મારા પિતાને ફોન કરીને રડવા લાગ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Gujma (@thegujma)

કારણ કે હું ડરી ગયો હતો અને મને ખ્યાલ આવી રહ્યો હતો કે હું પણ એ જ જગ્યાએ હતો જ્યાં અકસ્માત થયો હતો. મિત્રો આપણે આ ઘટનાને વીડિયોમાં જોઈએ છે પરંતુ જેને લાઈવ જોઈએ છે તેની પર શું થયું હશે તેની આપને કલ્પના પણ કરતા આપણને કંઈક ધ્રુજારી આવવા લાગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોરબી બ્રીજ હોનારતમાં તમામ અનાથ બાળકોની જવાબદારી ઉપાડશે સુરતના આ ઉદ્યોગપતિ, મા-બાપ ની છત્રછાયા ગુમાવનારા માટે હવે આ વ્યક્તિ બનશે પિતા…"

Leave a comment

Your email address will not be published.


*