સુરત,અમદાવાદ, રાજકોટ,વડોદરા શહેરમાં એસ.ટી વિભાગ દ્વારા લેવાયો આ મોટો નિર્ણય

Published on: 3:52 pm, Sat, 5 December 20

રાજકોટ, અમદાવાદ, વડોદરા,અને સુરત જતી એસટી બસોના ટિકિટ ભાડામાં સ્થાનિક સ્તરેથી વધારો કરવામાં આવ્યો છે. તેમાં થનારો વધારો આજ સાંજ સુધીમાં નક્કી કર્યા બાદ જાહેર કરવામાં આવનાર છે. રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું કે ટિકિટ ભાડામાં વધારો આવતીકાલથી અમલ શરૂ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે હોસ્પિટલના ચોક બ્રિજ ના ડાયવર્ઝનના.

કારણે અમદાવાદ વડોદરા અને સુરત તરફ જતી એસટી બસોના અંતરમાં વધારો થયો છે.ઉલ્લેખનીય છે કે, પહેલા એસટી બસો હોસ્પિટલ ચોક થઈ પારેવડી ચોક થી સીધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જતી હતી. જયારે હવે નાગરિક બેંક ચોક, ભક્તિનગર સર્કલ.

સોરઠીયાવાડી સર્કલ, અમુલ સર્કલ, પારેવડી ચોક થી સીધી ગ્રીન લેન્ડ ચોકડી સુધી જઈ રહી છે જેના કારણે અમદાવાદના ભાડામાં ₹4 નો વધારો કરવામાં આવ્યો છે.

અને વડોદરા,સુરત નું ભાડું પણ વધશે પરંતુ તે અંગે સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત,અમદાવાદ, રાજકોટ,વડોદરા શહેરમાં એસ.ટી વિભાગ દ્વારા લેવાયો આ મોટો નિર્ણય"

Leave a comment

Your email address will not be published.


*