સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી આ મોટી જાહેરાત.

Published on: 4:58 pm, Thu, 21 January 21

ભાજપ દ્વારા નવા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ની જાહેરાત કરવામાં આવી છે અને પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ સાહેબ ચાર્જ સંભાળ્યા બાદ કાલા મંત્રી બોર્ડ ની નવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રદેશપ્રમુખ પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પરસોતમ રૂપાલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા.

આર.સી.ફળદુ, રાજેશ ચુડાસમા, જશવંતસિંહ ભાભોર, સુરેન્દ્ર પટેલ, ભીખુભાઈ દલસાણીયા,કાનજી ઠાકોર અને કિરીટ સોલંકી એમ કુલ ૧૩ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બોર્ડમાં પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ની બાદબાકી કરવામાં આવી છે.

મંગુભાઈ પટેલ, ભરતસિંહ પરમાર તેમજ શંભુપ્રસાદ ને પડતા મૂકવામાં આવ્યા છે. આ પહેલા વર્ષ 2017 માં પાર્લામેન્ટરી બોર્ડ ની જાહેરાત કરાઈ હતી અને ભાજપમાં ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે પાર્લામેન્ટરી બોર્ડ મુખ્ય ભાગ ભજવી રહ્યો છે.

ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડની ટીમ જાહેર થઇ છે અને આમાં 13 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે આમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ને બાકાત કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડ ની નવી ટીમ જાહેર કરવામાં આવી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા ભાજપ ઉપરાંત અન્ય પક્ષો એડીચોટીનું જોર કરી રહ્યા છે.

અને આ સમયે પક્ષ પલટાનો પણ જોર વધી રહ્યું છે. આગામી સમયમાં મતદાન પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નું પરિણામ આવે છે તેની પર ભાજપ ઉપરાંત અન્ય પક્ષોની નજર રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી આ મોટી જાહેરાત."

Leave a comment

Your email address will not be published.


*