આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા છ દિવસની મુલાકાત અંતર્ગત અમદાવાદ ગઈકાલે આવ્યા છે અને ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનુષ્ય સિસોદિયા પ્રાંતિજ માં જન સંવાદને સંવાદતા કહ્યું કે પરિવર્તનની આ
પ્રક્રિયા ચાલી રહી છે ને ગુજરાતમાં બધે અવાજ ઊઠી રહ્યો છે કે હવે પરિવર્તન જરૂરી છે.પરિવર્તનની રાહ જોતા અને 27 વર્ષ થઈ ગયા છે અને આટલા વર્ષોમાં મુખ્યમંત્રીઓ બદલાયા છે નેતાઓ બદલાયા છે પણ જે બદલાયું નથી તે આપણી શાળાઓ છે. શાળાઓ નથી બદલાય હોસ્પિટલ નથી બદલાય વીજળીના બિલ નથી બદલાયા પેપર ફૂટવાનું
નથી બદલાયું રોજગાર નથી અપાયો મોંઘવારીની હાલત નથી બદલાય જેમ તમે લોકો માનવા લાગ્યા કે પરિવર્તન જરૂરી છે ત્યારથી ભાજપ એ પણ પરિવર્તનનું ચક્ર ચલાવવાનું શરૂ કર્યું છે.ભાજપના ઇતિહાસમાં તેમને ત્રણ વખત મુખ્યમંત્રી બદલ્યા છે તેમને મુખ્યમંત્રી બદલવા પડ્યા કારણકે પ્રાંતિજના ભાઈ બહેનો હવે કહેવા લાગ્યા કે અમને
કેજરીવાલ જેવી શાળા જોઈએ છે. કેજરીવાલ જે રીતે દિલ્હીમાં શાળા બનાવી છે તે જ રીતે ગુજરાતમાં પણ બનાવી જોઈએ. તે લોકો કેજરીવાલથી નથી ડરતા પરંતુ કેજરીવાલ દ્વારા બનાવવામાં આવેલી શાળાઓથી ડરે છે અને જો ગુજરાતના લોકો કેજરીવાલની જેમ શાળાઓ બનાવવાનું વિચારી લેશે તો ઝાડુ નું બટન દબાવશે અને પછી શાળાઓ તો બની જ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "તેઓ કેજરીવાલજીથી ડરતા નથી, તેઓ કેજરીવાલજી દ્વારા બનાવેલી શાળાઓથી ડરે છે : મનીષ સિસોદિયા"