નડિયાદની આ ત્રણ પટેલ બહેનોએ કુતરાઓની સેવા કરવા માટે લગ્ન ન કર્યા, તેમને કૂતરાઓ માટે પોતાનું 1 કરોડ રૂપિયાનું ઘર ગીરવી મૂક્યું…

Published on: 6:51 pm, Wed, 6 July 22

ઘણા લોકો એવા હશે કે જેઓ પશુ પ્રત્યે લાગણી ધરાવતા હોવાથી તેમના પ્રત્યે દયાભાવના રાખી તેમણે સાચવતા જોયા હશે, ત્યારે ઘણા એવા લોકો તો પાલતુ પ્રાણી એવું શ્વાન કે જેનો બર્થ ડે ઉજવતા પણ નજરે પડે છે. ત્યારે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં શ્વાનની સેવામાં આજીવન અપરિણીત રહ્યા હોય ત્યારે આ વાત સત્ય છે. નડિયાદની ત્રણ બહેનો કે જે શ્વાનની સેવા કરતા આવ્યા છે અને આજીવન અપરિણીત રહીને નિર્ધાર કર્યો છે.

તે આજીવન શ્વાન ની સેવા કરશે. નડિયાદની સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં રહેતી એ ત્રણ બહેનો કે જેવું નિયમિત શ્વાનની સેવા કરે છે અને એક ટાઇમ તેમણે જમવાનું આપે છે.સાજા માંદા હોય ત્યારે તેમની સારવાર પણ કરાવતા હોય છે, ત્યારે આ ત્રણેય બહેનો જેનું નામ શિલ્પા પટેલ, ગોપી પટેલ અને નીપા પટેલ કે જેઓ 30 સોસાયટીના શ્વાનને દરરોજ એક સમય ભોજન કરાવે છે.

આ ઉપરાંત 150 જેટલા શ્વાનોને પણ ભોજન કરાવે છે, ત્યારે તેઓ પશુ પ્રેમી હોવાથી તેમની સેવા કરી રહ્યા છે.એટલું જ નહીં પરંતુ જ્યારે શ્વાન બીમાર પડે ત્યારે તેની સારવાર પણ સ્વખર્ચે આનંદ હોસ્પિટલમાં લઈ જઈને કરાવે છે. અમે તમને જણાવી દઈએ કે આ ત્રણેય બહેનો છેલ્લા 20 વર્ષથી આ બધા જ શ્વાનની સેવા કરતા આવ્યા છે.

તેમની સાથે તેમને એક અનોખો સંબંધ જ બંધાઈ ગયો છે અને તેઓ હાલ ઘરમાં જ 8 શ્વાનને સાચવી રહ્યા છે. પોતાના જ ઘરના સદસ્ય માનીને તેમની સાથે જ આખો જીવન વિતાવવા માંગે છે. તેમનું કહેવું છે કે જો તેમણે લગ્ન કર્યા હોત તો કદાચ સામેવાળું પાત્ર એ બધા શ્વાનને સાચવવા રાજી ન થાય તેથી તે ખૂબ જ દુઃખી થાય એમ હતા તેથી તેમને લગ્ન કરવાનો પણ ઇનકાર કરી દીધો છે.

આ ત્રણેય બહેનો શ્વાન માટે ક્યારેક તો દાગીના રૂપિયા બધું જ આપી દીધું છે એટલું જ નહીં પરંતુ એક કરોડ રૂપિયાનું ઘર પણ તેમણે બેંકમાં ગીરવી મૂક્યો છે. આ પશુપ્રેમી એવી આ ત્રણેય બહેનો કે જેઓ આ શ્વાન માટે કંઈ પણ કરવા તૈયાર છે ત્યારે કહેવાય છે કે જ્યારે કોઈ પશુ સાથેની લાગણી બંધાઈ જાય ત્યારે તેને એક ઘરનું સદસ્ય જ માનવામાં આવે છે.

આ ત્રણેય બહેનો દરેક શ્વાનને પોતાના દીકરાની જેમ સાચવી રહ્યા છે. આ ત્રણેય બહેનોને જ્યારે એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમના મંતવ્યો જણાવતા કહ્યું હતું કે મૂંગા પ્રાણીઓ પશુઓ પક્ષીઓ પ્રત્યે દયાભાવના રાખવી જોઈએ અને એમને સાચવવા જોઈએ એ એક કુદરતનો જ ભાગ છે.

તેઓ મૂંગા છે તેથી કશું બોલી શકતા નથી. આપણે તો માણસ છીએ આપણે સમજી શકીએ છીએ પણ તે તો બોલી પણ શકતા નથી. તેથી તેઓ પોતાની લાગણી વ્યક્ત કરી શકતા નથી એવામાં જ જો દરેક વ્યક્તિ એક એક મુંગુ પક્ષી કે પ્રાણીની જવાબદારી લઈ લે એવા મંતવ્ય રજૂ કર્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નડિયાદની આ ત્રણ પટેલ બહેનોએ કુતરાઓની સેવા કરવા માટે લગ્ન ન કર્યા, તેમને કૂતરાઓ માટે પોતાનું 1 કરોડ રૂપિયાનું ઘર ગીરવી મૂક્યું…"

Leave a comment

Your email address will not be published.


*