રાજકોટ શહેરના મેયર દ્વારા અનેક મહત્વના આદેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે રાજકોટના મુખ્ય રસ્તાઓ પરથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવામાં આવી છે.
મૈયરના આદેશના પગલે અનેક વિસ્તારોમાં લારી હટાવવા માં પણ આવી છે.હકીકતમાં અત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ઈંડા અને નોનવેજની લારીઓ રસ્તા ઉપર દબાણ કરીને ઉભી રહે છે.
જેના પગલે સ્થાનિકોઓએ ફરિયાદ કરી હતી અને લોકોની ફરિયાદને ધ્યાનમાં રાખીને મેયરે તાત્કાલિક આદેશ આપતા રસ્તાઓ પરથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાનું કહેવાયું હતું.
મેયર ના આદેશના પગલે શહેરના ડેપ્યુટી કમિશનર દ્વારા લારીઓ દૂર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા ફુલછાબ ચોક, શાસ્ત્રી મેદાન સહિતની જગ્યાઓ પર આ લારીઓ દૂર કરવામાં આવી છે. તમામને હોકર્સ ઝોનમાં રેકડી ઉભી રાખવા સૂચના અપાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "હવેથી ગુજરાત રાજ્યના આ શહેરમાં જાહેર રસ્તા ઉપર ઊભી નહીં રહે આ લારીઓ, અપાયો મોટો આદેશ"