યુવકે પોતાની પત્ની અને ત્રણ બાળકોનો જીવ લઈ લીધો, પછી યુવકે કંઈક એવું પગલું ભર્યું કે… હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…

બુધવારના રોજ બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વેપારીએ પોતાની પત્ની અને ત્રણ બાળકોનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ વેપારીએ પોતે સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ પરિવારના સભ્યોમાં માતમ છવાઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે પાંચેયના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા. રાત્રે 11:30 વાગ્યાની આસપાસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પરિવારના પાંચેય સભ્યોને એક સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા.

આ ઘટના ઉત્તર પ્રદેશના ઝોનપુરમાંથી સામે આવી રહે છે. વિગતવાર વાત કરીએ તો નાગેશ નામનો વ્યક્તિ પોતાની પત્ની રાધિકા, બે દીકરીઓ અને એક દીકરા સાથે રહેતો હતો. ઘટનાના દિવસે નાગેશે સૌપ્રથમ પોતાની પત્ની અને ત્રણ બાળકોનો જીવ લઈ લીધો હતો અને પછી પોતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર રૂમના બેડ પરથી ત્રણ બાળકો સાથે પત્નીના મૃતદેહ મળ્યું હતું જ્યારે નાગેશનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા નાગેશના ભાઈ એ જણાવ્યું કે, નાગેશ તેના બાળકો અને પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેને તેના પરિવારને ક્યારેય દુઃખી થવા દીધું નથી. તો તેને અચાનક જ આવું પગલું શા માટે ભર્યું તે સમજાતું નથી.

મંગળવારના રોજ રાત્રે 9:00 વાગ્યા સુધી બધું બરોબર હતું. મળતી માહિતી અનુસાર નાગેશે આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થતાં હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*