પત્ની પિયરમાં જતી રહી તો પતિએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું… જાણો શું છે સમગ્ર ઘટના…

આજકાલ સુસાઈડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાની જાણ સવાર સવારમાં મૃત્યુ વ્યક્તિના સગા સંબંધીઓને થતા જ પરિવારમાં હોબાળો મચી ગયો હતો.

ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે.

અહીં ગઈકાલે રાત્રિના સમયે એક વ્યક્તિએ પોતાના ઘરના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવી લીધું હતું. જ્યારે સવારે પરિવારજનોને આ ઘટનાની જાણ થાય ત્યારે ભારે ભાગદોડ મચી ગઈ હતી અને આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ઇમરાન હતું. ઇમરાનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા.

લગ્ન પછી થોડાક દિવસો સુધી ઇમરાનની પત્ની તેની સાથે રહી હતી. પછી તેની પત્ની પોતાના પિયરમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ પત્ની ઇમરાનના ઘરે આવવાની ના પાડતી હતી, જેના કારણે ઈમરાન ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો હતો. જેનાથી કંટાળીને તેને સુસાઇડ કરી લીધું છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

જાણવા મળી રહ્યું છે કે લગ્ન બાદ ઇમરાનની પત્ની 30 થી 40 દિવસ જ પોતાના સાસરિયામાં રહી હતી. ત્યારબાદ તે પોતાના પિયરમાં જતી રહી હતી. પછી તે સાસરિયામાં આવવાની ના પાડતી હતી. આ કારણોસર ઇમરાને સુસાઇડ કરી લીધું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*