પત્નીએ જ પતિનો જીવ લેવા માટે પ્રેમીને સુપારી આપો, 6 દિવસ બાદ અંબાજી નજીક 400 ફૂટ ઊંડા કૂવામાંથી પતિનું મૃતદેહો મળી આવ્યું…

Published on: 2:47 pm, Thu, 2 June 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડનગર તાલુકાના સિપોર ગામના 35 વર્ષના મહેશજી ઠાકોર નામના યુવકનું મૃતદેહ 6 દિવસ બાદ જીવ લીધેલી હાલતમાં બુધવારના રોજ અંબાજી નજીક કૂવામાંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

માહિતી અનુસાર પ્રેમસંબંધમાં આડા આવતા પતિનો જીવ લેવા માટે પત્નીએ પોતાના પ્રેમીને સુપારી આપી હતી. મળતી માહિતી અનુસાર 26 મેના રોજ મહેશજી ઠાકોર નામના યુવાનને બપોરના ત્રણ વાગ્યાની આસપાસ ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ગાડીમાં બેસાડીને ઉપાડી ગયા હતા.

આ સમગ્ર ઘટના બન્યા બાદ આ અંગે મહેશજી ઠાકોરના ભાઈ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. ત્યાર બાદ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી અને પોલીસે મહેશજી ઠાકોરની પત્ની અને તેના પ્રેમીની પૂછપરછ કરી હતી.

ત્યારે જાણવા મળ્યું કે, મહેશજી ઠાકોરનો જીવ લેવામાં આવ્યો છે. વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, મહેશજી ઠાકોરનો મૃતદેહ અંબાજી નજીક કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવા માટે આ ઘટનાની જાણ થાય વિભાગની ટીમને કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે મહેશજી ઠાકોરનું મૃતદેહ કૂવામાંથી બહાર કાઢયું હતું. મળતી માહિતી અનુસાર મહેશભાઈ ઠાકોરનું મૃતદેહ 400 ફૂટ ઊંડા કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હતું.

ત્યાર બાદ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે મહેશજી ઠાકોરની પત્ની અને તેના પ્રેમીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પ્રેમ સંબંધને લઇને પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને મહેશજી ઠાકોરનો જીવ લીધો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં આરોપી ની મદદ કરનાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પત્નીએ જ પતિનો જીવ લેવા માટે પ્રેમીને સુપારી આપો, 6 દિવસ બાદ અંબાજી નજીક 400 ફૂટ ઊંડા કૂવામાંથી પતિનું મૃતદેહો મળી આવ્યું…"

Leave a comment

Your email address will not be published.


*