ભાજપના આ દિગ્ગજ નેતા ની જીભ લપસી, કહ્યુ કે મને ખુશી છે કે દેશમાં ઓક્સિજનની અછતના કારણે લોકોના મોત થયા.

Published on: 8:43 pm, Thu, 10 June 21

હાલમાં દેશમાં કોરોનાની મહામારીની બીજી લહેર ધીમી પડતી જાય છે અને દેશમાં કેસો પણ ઘટી રહ્યા છે એવામાં યુપીના પ્રયાગરાજમાં એક ઓક્સિજન પ્લાન્ટ ના વર્ચ્યુઅલ ઉદઘાટન માટે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ને બોલાવવામાં આવ્યા હતા.

નિતીન ગડકરી ભાષણ આપતી વખતે એવું બોલ્યા કે તમે જાણીને ચોંકી જશો તેઓ સૌપ્રથમ બોલ્યા કે “સૌથી પહેલાં તો મને ખુશી છે કે કોવિડથી હાલના સમયમાં આપણા દેશમાં અનેક લોકોના મૃત્યુ ઓક્સિજનના અછતના કારણે થયા.”

નીતિન ગડકરી આ વાક્ય બોલીને તેમને ધ્યાનમાં આવ્યું કે મારાથી કંઈક વધુ બોલાય ગયું છે તેથી તેમને આખી વાતને ફેરવી નાખી. ત્યારબાદ તેમને કહ્યું કે હવામાંથી ઓક્સિજન બનાવવાની ટેકનીક છે.

આ કાર્યક્રમમાં યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ, સિદ્ધનાથ સિંહ અને મહેન્દ્રનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નીતિન ગડકરીએ કહ્યું કે મેં ડેપ્યુટી સીએમ, સિધ્ધનાથ સિંહ અને મહેન્દ્રસિંહ ને કહ્યું છે.

કે રાજ્યમાં જેટલી 50 બેડની હોસ્પિટલ હોય ત્યાં ઓક્સીજન પ્લાન્ટ ઉપલબ્ધ કરે. એક ઓક્સિજન સિલિન્ડર માં ચાર વ્યક્તિ અને ઓક્સિજન મળે. એમાં મહારાષ્ટ્રમાં તેને ખૂબ જ સસ્તા ભાવે તેની ખરીદી કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપના આ દિગ્ગજ નેતા ની જીભ લપસી, કહ્યુ કે મને ખુશી છે કે દેશમાં ઓક્સિજનની અછતના કારણે લોકોના મોત થયા."

Leave a comment

Your email address will not be published.


*