રેલો તો આવી જશે..! શું મયુરસિંહ રાણા પર દંડા વાળી કરનાર ભાગેડુ દેવાયત ખવડ બચી જશે ? 17 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડની…

Published on: 3:55 pm, Thu, 15 December 22

હાલમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ ચર્ચામાં ચાલી રહ્યા છે. દેવાયત ખવડે પોતાના બે સાથીઓ સાથે મળીને રાજકોટમાં રસ્તાની વચોવચ મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટનાના 9 દિવસ થઈ ગયા છતાં પણ આરોપી દેવાયત ખવડ પોલીસની હાથમાં આવ્યો નથી.

આ સમગ્ર ઘટનાને લઈને ભાગેડુ દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે થોડા દિવસો પહેલા આગોતરા જામીન અરજી કરી હતી. તેને લઈને સુનવાણી આજે ટળી છે. મિત્રો તમને જણાવી દે કે રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડની આગોતરા જામીનની અરજી પર સુનવાણી હાથ ધરવામાં આવશે. તમને શું લાગે છે ભાગેડુ દેવાયત ખવડને જામીન મળી જશે..?

નવ દિવસથી ફરાર આરોપી દેવાયત ખવડને પોલીસ હજુ પણ પકડી શકી નથી. પોલીસની ઢીલી કાર્યવાહી સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયું છે. રાજકોટમાં દેવાયત ખવડને પકડવાની માંગ સાથે ક્ષત્રિય સમાજના લોકો CP કચેરીમાં ઉમટી પડ્યા હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમે સત્યાગ્રહ પર બેસવાનું વિચારી રહ્યા છીએ.

દેવેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે મયુરસિંહ રાણા પર જીવલેણ પ્રહાર થયો તેના આટલા બધા દિવસો વીતી ગયા, છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી અમે ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ કમિશનરને આવ્યા છીએ.  મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ચારે બાજુ આરોપી દેવાયત ખવડની જ ચર્ચાઓ ચાલી રહી છે.

દેવાયત ખવડના વિવાદિત ઘણા જુના વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. મિત્રો દેવાયત ખવડ નો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેવાયત ખવડ ડાયરાના સ્ટેજ પર બેસીને કહે છે કે FIRના ઢગલા થઈ જાય તો મૂંઝાવવાનું ન હોય. ત્યારે પોતાના પર એક જ FIR થતાં ઘરે તાળા મારીને ભાગવું પડ્યું છે.

મિત્રો દેવાયત ખવડ પોતાના જીવનમાં ઘણા બધા સંઘર્ષ કરીને આગળ વધ્યા છે. પરંતુ તેમની કોબાડ બોલીને કારણે તેઓ હંમેશા વિવાદોથી ઘેરાયેલા રહે છે. દેવાયત ખવડે પોતાના જ સમાજના વ્યક્તિ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. મિત્રો તમે જ કહો કે આવા આરોપી કલાકારોને સ્ટેજ પર ચડવા દેવા જોઈએ કે નહીં..?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રેલો તો આવી જશે..! શું મયુરસિંહ રાણા પર દંડા વાળી કરનાર ભાગેડુ દેવાયત ખવડ બચી જશે ? 17 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડની…"

Leave a comment

Your email address will not be published.


*