કોરોના ની ત્રીજી લહેર આ મહિનામાં આવી શકે છે, રાજ્યની આ યુનિવર્સિટીનો મોટો દાવો.

Published on: 5:21 pm, Tue, 8 June 21

રાજ્યમાં કોરોના ની ત્રીજી લઈને આવ્યા મહત્વના સમાચાર. રાજ્યમાં કોરોના ની ત્રીજી લહેર ઓગસ્ટ મહિનામાં આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ અનુમાન ગુજરાતમાં આવેલ ગુજરાત યુનિવર્સિટી ના રિસર્ચ વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટી ના રિસર્ચ વિભાગ દ્વારા સંશોધન બાદ એક આર્ટીકલ જાહેર કર્યો તેમા તમામ વચ્ચે એક અંતર જોવા મળ્યું છે. તેમને કહ્યું કે રાજ્યમાં કોરોના ની બીજી લહેર 45 દિવસ સુધી રહી શકે છે. આવું ને આવું પડતી કહ્યું કે સ્પેનમાં પહેલી અને બીજી લહેર વચ્ચે અઢી મહિનાનો સમય હતો.

ગુજરાત યુનિવર્સિટીના રિપોર્ટ ભારત સરકારની મોકલાયા છે રિપોર્ટ અનુસાર ભારતમાં બીજી અને ત્રીજી લહેર વચ્ચે બે મહિનાનો સમય લાગી શકે છે. ગુજરાતનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે ગુજરાતમાં કોરોના ની સ્થિતિ ને લઈને મહત્વના નિવેદન આપ્યું હતું.

નીતિન પટેલે કહ્યું હતું કે સમગ્ર દેશમાં કોરોના ની ત્રીજી લહેર આવી રહી છે તેવી શક્યતા છે. નીતિન પટેલે કહ્યું કે આ શક્યતાના પગલે ગુજરાત સરકાર તમામ સારવારો સાથે આયોજન કરી રહી છે.

નીતિન પટેલે કહ્યું કે નાના બાળકોને સંક્રમણની શક્યતા છે. જેને લઇને વડનગરમાં બાળકો માટે 50 પથારીઓ તૈયાર કરી લેવામાં આવી છે અને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર ની સુવિધા પણ કરી દેવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ની ત્રીજી લહેર આ મહિનામાં આવી શકે છે, રાજ્યની આ યુનિવર્સિટીનો મોટો દાવો."

Leave a comment

Your email address will not be published.


*