ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે થિયેટર ખોલવાની મંજૂરી આપવા છતાં નહિ ખુલે, જાણો વિગતો.

Published on: 5:43 pm, Sat, 26 June 21

જેમાં કોરોના ની બીજી લહેર ઓછી થતાં જ સરકાર દ્વારા અનેક શહેરોમાં કોરોનાના પ્રતિબંધ ઓછા કર્યા છે. અનેક શહેરોમાં અનેક એકમો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત થિએટર શરૂ કરવા માટે સરકાર દ્વારા મંજૂરી મળી છે.

રાજ્ય સરકાર દ્વારા ધંધા-રોજગાર સહિત ના દરેક ક્ષેત્રને છૂટ આપવામાં આવી છે. સરકાર તરફથી થિયેટર શરૂ કરવાની છૂટ આપી છે પરંતુ શહેરના લોકો ફિલ્મોની મજા નહીં માણી શકે.

રાજ્યમાં સરકારે મનોરંજન માટે છૂટ આપી હોવા છતાં મનોરંજન માટે થિયેટર બંધ રહેશે. શહેરમાં 10 થિયેટર બંધ રાખવાનો નિર્ણય સંચાલકોએ કર્યો છે.

કોરોનાની મહામારી વચ્ચે થિયેટર બંધ હોવાના કારણે ખૂબ જ નુકસાન થયું છે તેથી સરકાર તરફથી થિયેટર પર જીએસટી માંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આવી છે. ઉપરાંત શહેરમાં 50 જેટલા સિનેમાધર માંથી 10 સિનેમા બંધ રાખવામાં આવશે.

થિએટર શરૂ થતાં જ લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં થિયેટરમાં આવશે જેથી કોરોના સંક્રમણ ફરીથી વધી શકે છે તેના કારણે થિયેટરના સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે થિયેટર ખોલવાની મંજૂરી આપવા છતાં નહિ ખુલે, જાણો વિગતો."

Leave a comment

Your email address will not be published.


*