બેકાબૂ કોરોનાવાયરસ ને અટકાવવા રાજ્યની રૂપાણી સરકાર આજરોજ કરશે અત્યંત મહત્વનું કાર્ય, જાણો.

Published on: 11:16 am, Wed, 7 April 21

ગુજરાતમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં દિવસેને દિવસે કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોના ના નવા 17 હજાર 180 પોઝિટિવ કેસ નોંધાયા છે.

મંગળવારે કોરોના ના નવા 3280 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે 121 દિવસ બાદ કોરોના ની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા.

કોરોનાવાયરસ ના વધતા જતા સંક્રમણ અટકાવવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં આજરોજ એક મહત્વની બેઠક યોજાવાની છે.

આ મહત્વપૂર્ણ બેઠકમાં સંક્રમણને વધતું અટકાવવા અને વેક્સીનેશન ને ઝડપી કરવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.કોરોના સંક્રમણ અંગે ને આં બેઠકમાં 6 મંત્રીઓ હાજાર નહિ રહે.

આજે મળનારી મુખ્યમંત્રી રૂપાણી ની કેબિનેટ બેઠકમાં રાજ્યના ચાર મહાનગરોમાં વધતા જતા કોરોનાવાયરસ ના કેસો અંગે ચર્ચા કરવામાં આવશે અને ઉપરાંત રાજ્યમાં વેક્સિનેશન કાર્યક્રમને વધારે વેગ આપવા માટેની પણ ચર્ચા કરવામાં આવશે.

રાજ્યમાં કોરોનાવાયરસ જયારે બેકાબુ બની રહ્યો છે ત્યારે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી મહત્વપૂર્ણ કાર્ય એટલે કે કેબિનેટ બેઠક કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બેકાબૂ કોરોનાવાયરસ ને અટકાવવા રાજ્યની રૂપાણી સરકાર આજરોજ કરશે અત્યંત મહત્વનું કાર્ય, જાણો."

Leave a comment

Your email address will not be published.


*