મહાનગરોમા કોરોના ને કાબુમાં લેવા રાજ્યની રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય.

Published on: 2:55 pm, Mon, 5 April 21

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. સૌથી વધારે કોરોના કેસો મહાનગરમાં નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે.IAS કક્ષાના અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

રાજ્ય સરકારે હાથ મહાનગરપાલિકામાં વધતી જતી કોરોનાવાયરસ ની ખરાબ સ્થિતિને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ.

અને ગાંધીનગર મહાનગરપાલિકા માટે IAS કક્ષાના અધિકારીને રાજ્યસરકારે તાત્કાલિક અસરથી જવાબદારી સોંપી છે. અમદાવાદ જિલ્લામાં ડો.મનીષ બંસલ ને જવાબદારી સોંપવામાં આવી છે.

સુરત ની જવાબદારી દિનેશ રબારી નાયબ વન સંરક્ષક ને સોંપવામાં આવી છે. વડોદરા ની જવાબદારી ડો.હર્ષિત ગોસાવી ને સોંપવામાં આવી છે અને ગાંધીનગરની જવાબદારી અમિત યાદવને સોંપવામાં આવી છે.

તિતુતિ ચારણ ને રાજકોટ ની જવાબદારી સોંપવામાં આવી છે. ભાવનગર ની જવાબદારી આર.આર.ડામોર ને સોંપવામાં આવી છે અને જામનગરની જવાબદારી આર. ધનપાલ ને સોંપવામાં આવી છે.

અને જુનાગઢ ની જવાબદારી ડો. સુનિલકુમાર બેરવાલ ને સોંપવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના ના 2875 કેસ નોંધાયા છે અને 2024 દર્દીઓ સાજા થયા છે.

અત્યાર સુધીમાં 2,98,737 દર્દીઓ કોરોના મુક્ત થયા છે તો આજે 14 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4566 લોકોના મોત કોરોના ના કારણે થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહાનગરોમા કોરોના ને કાબુમાં લેવા રાજ્યની રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*