આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને લઈને રાજ્યની રૂપાણી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, જાણો વિગતે

Published on: 12:18 pm, Wed, 23 December 20

કોરોના મહામારી દરમ્યાન આજરોજ રાજ્યની રૂપાણી સરકારની કેબિનેટ બેઠક મળવાની છે અને આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મુદ્દે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આજરોજ યોજનારી રાજ્યની કેબિનેટ બેઠકમાં જાન્યુઆરી મહિનામાં યોજાતા પતંગોત્સવના આયોજનને લઇને નિર્ણય લેવાઈ શકે છે.કોરોના સંક્રમણ ને લઈને આયોજન મુદ્દે સરકાર માં હજુ પણ અસમંજસતા જોવા મળી રહી છે.

આ વર્ષે વિદેશી પતંગબાજો આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને સ્થાનિકો માટે પતંગ મહોત્સવના આયોજન અંગે વિચારણા ચાલી રહી છે. કોરોના મહામારી ને લઈને પતંગોત્સવના ખર્ચને લઇને પણ ચર્ચા ચાલી રહી છે.રાજ્ય સરકાર sainiko માટે પતંગોત્સવનું.

આયોજન અંગે વિચારણા કરશે અને ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ કોરોના મહામારી ના મુદ્દે વધારાનો ખર્ચ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

.આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં અંદાજે બે કરોડ જેટલો ખર્ચ થતો હોય ત્યારે તે કરવો કે નહીં તેને લઈને પણ અસમંજસતા જોવા મળી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને લઈને રાજ્યની રૂપાણી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*