ગુજરાત રાજ્યમાં નવરાત્રી ને લઈને રાજ્યની રૂપાણી સરકારે પોલીસ કર્મચારીઓને આપી આ સૂચના, જાણો મહત્વની વિગત

Published on: 4:19 pm, Sun, 18 October 20

કોરોનાવાયરસ ના કારણે જાહેર સ્થળે નવરાત્રિના આયોજન પર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે પણ બંગલો કે સોસાયટીમાં થોડાક લોકો મળીને ગરબા કરે તો તેમની સામે કોઇ પગલા નહીં લેવાતા રાજ્ય સરકાર બિન સત્તાવાર રીતે પોલીસ અધિકારીઓને સૂચના આપી હોવાનો દાવો ગુજરાતના જાણીતા અખબારમાં અહેવાલ કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ નવરાત્રીના આરતી સમયે કરાતા પાંચ ગરબા કે પછી સોસાયટીમાં ઘર કે.

બંગલોમાં પરિવારના ભેગા મળીને 15-20 વ્યક્તિ ગરબા રમે તેમની સામે કોઇ પગલા નહીં લેવા માટે પોલીસને બિનસત્તાવાર રીતે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ મુદ્દે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે સરકારનાં સૂત્રો દ્વારા કશું માહિતી આપવામાં આવી નથી.

પણ નવરાત્રી રાજ્યના લોકોની ધાર્મિક લાગણી જોડાયેલી હોવાની સૂચના અપાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકારે સત્તાવાર રીતે જાહેર સ્થળો,જાહેર માર્ગો અને.

સાર્વજનિક સ્થળોએ માતાજીની પૂજા-અર્ચના માટે પોલીસની મંજૂરી લેવી ફરજિયાત હોવાની ફરી સ્પષ્ટતા કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં નવરાત્રી ને લઈને રાજ્યની રૂપાણી સરકારે પોલીસ કર્મચારીઓને આપી આ સૂચના, જાણો મહત્વની વિગત"

Leave a comment

Your email address will not be published.


*