ગુજરાતમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરુ કરવાને લઈને રાજ્ય સરકાર લઇ શકે છે મોટો નિર્ણય,મહત્વની બેઠક હાલ શરુ

Published on: 2:46 pm, Tue, 17 August 21

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નિવાસ્થાને શિક્ષણ વિભાગની મહત્વની બેઠક ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં શિક્ષણ પ્રધાન પણ હાજર છે. આ બેઠકમાં ધોરણ 6 થી 8 ના વર્ગ અને ઓફલાઇન શિક્ષણના મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી રહી છે.

જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે.

આ ઉપરાંત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા આગામી કલાકોમાં શાળા શરૂ કરવાને લઈને મોટી જાહેરાત કરી શકાય છે. ગુજરાતમાં હવે કોરોના ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યો છે.

ત્યારે હવે પ્રાથમિક વિભાગોમાં 6 થી 8 ના વર્ગો શરૂ કરવાને લઈને સરકાર આગળ વધી રહી છે. ચાલુ સાહિત્યમાં રાજ્ય સરકાર અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે. મળતા સૂત્રો અનુસાર જન્માષ્ટમીના તહેવાર બાદ સપ્ટેમ્બરને આરંભથી જ પ્રાથમિક શાળાઓ શરૂ થઈ શકે છે

આ ઉપરાંત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અગાઉ જાહેરાત કરી હતી કે 15 ઓગસ્ટ બાદ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરુ કરવાને લઈને રાજ્ય સરકાર લઇ શકે છે મોટો નિર્ણય,મહત્વની બેઠક હાલ શરુ"

Leave a comment

Your email address will not be published.


*