રાજ્યમાં રાત્રિ કરફ્યુ અને પ્રતિબંધને લઈને રાજ્યની રૂપાણી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, જાણો.

Published on: 4:49 pm, Thu, 20 May 21

સમગ્ર દેશમાં વાયરસ ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે ત્યારે દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે તો કેટલાક રાજ્યમાં રાત્રી કરફ્યુ અને કડક પ્રતિબંધને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અધ્યક્ષતામાં મહત્વની બેઠક ગાંધીનગર ખાતે યોજાવાની છે.

મહત્વનું છે કે આ મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતા મા યોજાવાની મહત્વની બેઠકમાં સમગ્ર રાજ્યમાં વાયરસ ની પરિસ્થિતિ અંગે નિરીક્ષણ કરવામાં આવશે.

અને સાથે રાજ્યમાં લાગેલ રાત્રિ કરફ્યુ અને પ્રતિબંધો મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં સરકાર રાજ્યમાં વાયરસની સ્થિતિ ને જોઈને કહ્યું મતદાનનો નિર્ણય જાહેર કરી શકે છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે લગાવેલા પ્રતિબંધોમાં થોડી ઘણી છૂટ છાટ મળી શકે છે. વેપારી એસોસિયેશને પણ પહેલા કરફ્યુ દૂર કરવાની માંગ કરી ચૂક્યું છે.

આપને જણાવી દઇએ કે અગાઉ રાજ્યમાં આવેલા વાવાઝોડાના કારણે 18,19 અને 20 મે એમ ત્રણ દિવસ માટે રાત્રી કરફ્યુ અને પ્રતિબંધો લંબાવવામાં આવ્યા હતા અને જ્યારે હાલમાં રાજ્યમાં કુલ 36 શહેરોમાં રાત્રી કરફ્યુ અને પ્રતિબંધ યથાવત્ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં રાત્રિ કરફ્યુ અને પ્રતિબંધને લઈને રાજ્યની રૂપાણી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, જાણો."

Leave a comment

Your email address will not be published.


*