બહેને પોતાના સગા ભાઈ અને ભત્રીજીનો જીવ લઈ લીધો – આવું કરવાનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો…

Published on: 11:09 am, Thu, 31 March 22

આજથી અંદાજે ત્રણ વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટનાએ તમામ લોકોને હચમચાવી દીધા હતા. આ ઘટનામાં કોટે આરોપી બહેનને દોષિત ઠેરાવી છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2019 માં મહિલા ડોક્ટરે પોતાના સગા ભાઈ અને માસૂમ ભત્રીજીનો જીવ લઇ લીધો હતો. બુધવારના રોજ આ કેસ અંગે પાટણની એડીશન સેશન્સ કોર્ટમાં કાર્યવાહી ચાલતા બંને પક્ષના વકીલોની દલીલ સાંભળીને કોર્ટે આરોપી મહિલા વિરુદ્ધ ગુનો સાબિત થયો છે.

અને આગામી 4 એપ્રિલના રોજ કોટ આરોપી મહિલા ને સજા આપશે. મળતી માહિતી અનુસાર સિદ્ધપુર તાલુકાના કલ્યાણ ગામની વતની અને ધંધુકા વેપાર માટે અમદાવાદ શહેરમાં થાય થયેલા નરેન્દ્રભાઈ પટેલ પોતાના પરિવાર સાથે છેલ્લા 39 વર્ષથી અમદાવાદમાં રહે છે. તે પોતાની પત્ની, બે દીકરીઓ અને એક દીકરા સાથે રહેતા હતા.

મળતી માહિતી અનુસાર ઘરની દીકરી કિન્નરી પટેલને પોતાના કોઈ અંગત કારણોસર અને ઘરમાં માન મોભો ન મળતો હોવાથી તેને ભાઈનો જીવ લેવા નું કાવતરું ઘડ્યું હતું. જે ભાઈને રાખડી બાંધી હતી તે જ ભાઈનો ધતુરો અને સાઇનાઇટનો ઉપયોગ કરીને ભાઈનો જીવ લઇ લીધો હતો. કિન્નરી પોતાના ભાઈ જીગર પટેલને અલગ-અલગ પ્રવાહીમાં ધતુરા નું પાણી આપ્યું હતું.

ધતુરાના પાણીના કારણે જીગર પટેલનું માનસિક સંતુલન બગડી ગયું હતું. માનસિક સંતુલન બગડતા કિન્નરીએ પોતાના ભાઈ જીગરને સાઇનાઇટ ભરેલી કેપ્સુલ આપી દીધી હતી. તેના કારણે જીગર પટેલનું કરૃણ મૃત્યુ થયું હતું. જીગર પટેલના મૃત્યુના 15 દિવસ બાદ કિન્નરીએ પોતાના ભાભી એટલે કે જીગર પટેલની પત્નીની ભૂમિબેનને પણ ધતુરાનું પાણી આપી દીધું હતું.

જેથી ભૂમિબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેનો લાભ ઉઠાવીને કિન્નરીએ પોતાના 14 મહિનાની ભત્રીજી માહીને સાઈનાઈટ આપી દીધું હતું અને તેના કારણે માહીનું પણ કરુણ મૃત્યુ થયું હતું. ભાઈ અને ભત્રીજીનો જીવ લેવા માટે ઉપયોગમાં લેવાયેલું સાઈનાઈટ અમદાવાદ માણેકચોકમાં આભૂષણને ગીલેટ કરવાનો વ્યવસાય કરતા વ્યક્તિ પાસેથી લેવામાં આવ્યું હતું.

સૌ પ્રથમ આરોપી કિન્નરીએ પોટેશિયમ સાઈનાઈટનો ઉપયોગ મકોડા પર કર્યો હતો. જેના કારણે મકોડો મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ કિન્નરીએ સાઈનાઈટનો ઉપયોગ કરીને પોતાના સગા ભાઈ અને ભત્રીજીનો જીવ લઇ લીધો હતો. જીવ લેવાની આ પ્રક્રિયા આરોપી કિન્નરીએ ઇન્ટરનેટ પર સર્ચ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બહેને પોતાના સગા ભાઈ અને ભત્રીજીનો જીવ લઈ લીધો – આવું કરવાનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*