સુરતના કામરેજમાં ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીના ઘરે આવેલા વ્યક્તિ એ જ તેના પર કર્યો પ્રહાર, સારવાર દરમિયાન કર્મચારીનું મૃત્યુ…

Published on: 4:27 pm, Tue, 1 February 22

સુરતના કામરેજના ઉભેંળ ગામમાં સાથી વતનવાસીઓએ એક ટ્રાન્સપોર્ટ કર્મચારીની ધુલાઈ કરી હતી. આ કર્મચારીનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલ વ્યક્તિ રાજસ્થાન નો રહેવાસી હતો અને તે એક વર્ષ પહેલા જ સુરત જિલ્લામાં રોજગારીની શોધમાં આવ્યો હતો.

આ ઘટના બન્યા બાદ પોલીસ દોડતી થઇ ગઇ હતી. મૃત્યુ પામેલા યુવાનનું નામ વિનોદકુમાર કૃષ્ણકુમાર જાગીર હતું. તેની ઉંમર 26 વર્ષની હતી. તે કડોદરા વિસ્તારમાં મારુતિ રેસિડેન્સીમાં રહેતો હતો.

મળતી માહિતી અનુસાર તે રાજસ્થાનથી એક વર્ષ પહેલાં જ સુરતમાં રોજગારી માટે આવ્યો હતો. તે સુરતની કામરેજની મેક્સ સ્પેસ લોજીસ્ટિકમાં ક્લાર્ક તરીકે નોકરીમાં લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર 31 તારીખના રોજ રાત્રે ઘરે આવેલા નવીન બળવંતસિંહ પુનીય દારૂના નશામાં હતો.

દારૂના નશામાં તેને માથાકૂટ કરી હતી. મળતી માહિતી અનુસાર આ માથાકુટથી દૂર રહેવા માટે વિનોદ ઘરેથી નીચે ઊતરતો હોય છે નશામાં ચૂર નવીન બળવંતસિંહ વિનોદ પર પ્રહાર કરે છે. આ ઘટનામાં વિનોદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

ઘટના બન્યા બાદ નવીન ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં વિનોદને સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ત્યાં સારવાર દરમિયાન વિનોદનું કરૂણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના કામરેજમાં ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીના ઘરે આવેલા વ્યક્તિ એ જ તેના પર કર્યો પ્રહાર, સારવાર દરમિયાન કર્મચારીનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*